હેલ્થ ટિપ્સ / હોળીમાં ધાણી, ચણા અને ખજૂર જરૂર ખાજો છે અનેક ફાયદાઓ, રોગો રહેશે દૂર 

Holi needs coriander, chickpeas and palm as it has many benefits, diseases will be overcome

સામાન્ય રીતે હોળીના દિવસે આખો દિવસ ઉપવાસ કરવાનો અને સાંજે હોળિકાની પ્રદક્ષિણા કરીને પછી ધાણી-ચણા કે ખજૂર ખાવાની પ્રથા જૂના જમાનામાં હતી. હવે આ પ્રથાઓ બદલાઇ ગઇ છે. હિન્દુ ધર્મના દરેક ઉત્સવ અને એ ઉત્સવ સાથે જોડાયેલી ખાણીપીણી અને આહારવિહારની પરંપરાઓ તૈયાર કરવા પાછળ ઋષિમુનિઓનો બહુ મોટો હાથ હતો. આ પરંપરાઓ દરેક બદલાતી સીઝનમાં શરીર-મનની જરૂરિયાતોને પૂરી કરવા અને આવનારા સમય માટે સક્ષમ બનાવવા માટે હતી. ઉપવાસ કરીને ઘાણી, ખજુર અને ચણા આ ત્રણ ચીજો ખાવાની પરંપરા પૌરાણિક સમયથી પડી છે અને એની પાછળનું કારણ આપણને ઋતુસંધિના વિજ્ઞાન તરફ દોરી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ