હોળી ભારતમાં મનાવવામાં આવતો ખુશીનો તહેવાર છે. દિવાળીની જેમ હોળીના તહેવારને પણ ભલાઈની જીતનો તહેવાર માનવામાં આવે છે. હિંદુઓ માટે હોળીનું મહત્વ પૌરાણિક કથાઓ દ્વારા માનવામાં આવે છે. આ તહેવારેમાં હોલિકા પ્રહલાદ અને હિરણ્યકશ્યપની વાત વગર બીજી પણ ઘણી વાર્તાઓ પ્રચલિત છે. વૈષ્ણવ પરંપરામાં હોળીને હોલીકા-પ્રહલાદના સાંકેતિક સૂત્રને ધ્યાનમાં લેવામાં આવે છે.
હોળીની એક વાર્તા કામદેવની પણ છે પાર્વતી શિવજીથી લગ્ન કરવા માંગતા હતા. પરંતુ તપ કરવામાં ખોવાઈ ગયેલા શિવનું ધ્યાન તેમના તરફ ગયું જ નહી. ત્યારે પ્રેમના દેવતા કામદેવે આગળ આવીને શિવ ઉપર ફૂલોના બાણ ચલાવ્યા હતા.
શિવ તપસ્યા ભંગ થતાં તેમને ગુસ્સામાં આવતા તેમની ત્રીજી ખોલીને કામદેવને રાખ કરી દીધા હતા. ત્યાર બાદ તેમની પત્નીએ શિવજીની માફી માંગતા અને જીવિત કરવાની આજીજી કરતા બીજા દિવસે શિવનો ગુસ્સો શાંત થતો હતો. અને કામદેવને ફરીથી જીવિત કર્યા હતા આમ પણ હોળી અને ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવે છે.
મહાભારતના એક અધ્યાય મુજબ યુધિષ્ઠરને શ્રી કૃષ્ણ એ કહ્યું કે એકવાર શ્રી રામના એક પૂર્વજ રઘુના શાસનમાં એક અસૂર મહિલા હતી. તેને કોઈ પણ મારી શકાતું ન હતું. પરંતુ એને નાના બાળકોથી બીક લગતી હતી.
કારણ કે ગુરુ વશિષ્ઠે કહ્યું હતું કે નાના બાળકો ગામની બહાર જઈને ઘાસ અને લાકડા સળગાવશે તો એને મારી શકાશે. ત્યાર બાદ આવું કરીને અસૂર મહિલાનો નાશ કરવામાં આવ્યો હતો. આ દિવસને પણ હોળી તારીકે ઉજવવામાં આવે છે.