ફાગણ મહિનામાં ખુશી, ઉમંગ અને રંગોનો તહેવાર હોળી મનાવવામાં આવે છે. હોળીકા દહન પહેલા 8 દિવસના હોળાષ્ટક હોય છે, જેને અમુક કામ માટે અશુભ માનવામાં આવે છે.
આ તારીખથી શરૂ થઇ રહ્યાં છે હોળાષ્ટક
હોળાષ્ટક દરમ્યાન ભૂલથી પણ ન કરતા આ કામ
અમુક ઉગ્ર ગ્રહોની નકારાત્મક અસર માંગલિક કામો પર પડે છે
વર્ષ 2023માં 7 માર્ચે હોળીકા દહન કરાશે
હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર મુખ્ય તહેવારમાંથી એક છે. નવુ વર્ષ શરૂ થયા બાદ ફાગણ મહિનામાં આવતા આ તહેવારની લોકો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. આ સાથે આ પર્વ દિલથી બુરાઈને ખત્મ કરીને ફરીથી ગળે મળવા અને ખુશી મનાવવાનુ પર્વ છે. વર્ષ 2023માં 7 માર્ચે હોળીકા દહન કરવામાં આવશે. તો રંગવાળી હોળી 8 માર્ચે રમાશે.
હોળીકા દહન 2023નુ શુભ મુહૂર્ત
હિન્દુ પંચાગ મુજબ આ વર્ષે ફાગણ મહિનાની પૂનમે 6 માર્ચ 2023ની રાત્રે 04:17 કલાકથી પ્રારંભ થઇને 7 માર્ચ 2023ની સાંજે 06:09 વાગ્યા સુધી રહેશે. તો હોળીકા દહન 7 માર્ચ 2023ના રોજ કરવામાં આવશે અને રંગોવાળી હોળી બીજા દિવસે 8 માર્ચે રમવામાં આવશે. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ મનાવવામાં આવે છે.
હોળાષ્ટકમાં ના કરો આ કામ
હોળીકા દહન પહેલા 8 દિવસના હોળાષ્ટક હોય છે. હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમથી લઇને ફાગણ પૂર્ણિમાની રાત્રે હોળીકા દહન થાય ત્યાં સુધી રહે છે. જ્યોતિષ મુજબ આ 8 દિવસના હોળાષ્ટકમાં સૂર્ય, ચંદ્ર, શનિ, શુક્ર, ગુરૂ, બુધ, મંગળ અને રાહુ ગ્રહ ઉગ્ર રહે છે. આ ઉગ્ર ગ્રહોની નકારાત્મક અસર માંગલિક કામો પર પડે છે તેથી હોળાષ્ટક દરમ્યાન શુભ કામ કરવાની મનાઈ હોય છે. આવો જાણીએ કે હોળાષ્ટકમાં કયા કામ ના કરવા જોઈએ.
હોળાષ્ટકમાં લગ્ન, મુંડન, નામકરણ, સગાઈ સહિત બધા શુભ કામ ના કરવા જોઈએ.
ફાગણ શુક્લ આઠમથી લઇને પૂનમ દરમ્યાન હોળાષ્ટકમાં નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં અને ઘરનુ નિર્માણ શરૂ ના કરવુ જોઈએ.
હોળાષ્ટક દરમ્યાન નવુ ઘર, કાર, જમીન વગેરે પણ ના ખરીદવુ જોઈએ અને બુકિંગ પણ ના કરવુ જોઈએ.
હોળાષ્ટકમાં યજ્ઞ, હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ના કરવા જોઈએ. જો કે, ભગવાનનુ ભજન-કીર્તન કરવુ ઘણુ શુભ હોય છે.