હિન્દૂ ધર્મમાં હોળીનું ખાસ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે આ દિવસે અમુક ખાસ ઉપાયો કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
હોળી પર કરો આ ઉપાય
દૂર થશે બધી જ મુશ્કેલી
ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
હિન્દૂ ધર્મમાં હોળીના તહેવારનું ખાસ મહત્વ છે. આ તહેવાર ફાલ્ગુન માસની પુનમે ઉજવવામાં આવે છે. આ વખતે હોળી 18 માર્ચે છે. ત્યાં જ હોળિકા દહન 17 માર્ચે આવશે. આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે લોકો વિધિ વિધાનથી પાઠ પુજા કરે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પરેશાનીઓ દૂર થાય છે. દરેક કામમાં સફળતા મળે છે. હોળિકા દહનના આગળના દિવસે અમુક ઉપાયો કરવાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
હોળીકા દહનના દિવસે કરો આ ઉપાય
ગરીબોને દાન કરો
આ દિવસે ગરીબો અને જરૂરીયાતમંદોને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી તમારે સારા સ્વાસ્થ્ય, ધન અને શાંતીની પ્રાપ્તિ થાય છે. માટે આ દિવસે ગરીબોને દાન જરૂર કરો.
નોકરી અને વ્યવસાય માટે
સ્નાન વગેરે કર્યા બાદ સાફ કપડા પહેરીને હોળીકા દહન કરો. ત્યાર બાદ એક નારીયેળ લો. તેને પોતાના પર અને પરિવાર પર સાત વખત વારી લો. હોળીકા દહનની અગ્નિમાં આ નારિયેળને નાખી દો. ત્યાર બાદ સાત વખત હોળીકાની પરિક્રમા કરો. ત્યાર બાદ ભગવાનને ફળ અથવા મીઠાઈનો ભોગ લગાવો. તેનાથી નોકરી અને વ્યવસાયમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે.
આ ઉપાયથી મનોકામનાઓ થશે પુરી
જો મહેનત અને પ્રયત્નો બાદ પણ તમારા કાર્યનું પરિણામ નથી મળી રહ્યું તો હોળિકા દહનની પૂજા વખતે નારિયેળની સાથે પાન અને સોપારી અર્પિત કરો. તેનાથી તમને સારા પરિણામ મળશે.
આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે
હોળિકા દહનના સમયે અળસી, ઘઉં, મટર અને ચણાને આગમાં નાખવાથી ધનની તંગી દૂર થાય છે. ત્યાં જ હોળીના દિવસે મોતી શંખને સ્નાન કરી તેની પૂજા કરવાથી ધન સંબંધી મુશ્કેલીઓ દૂર થાય છે.