ધૂળેટીના એક દિવસ પહેલાં હોળિકા દહન કરવામાં આવે છે. આ દિવસે ખાસ વસ્તુઓને હોળિકામાં પધરાવવી જરૂરી છે. જો તમે આજ દિન સુધી આ 5માંથી કોઈ પણ કામ નથી કર્યું તો આ હોળીએ કરી લો એ જરૂરી છે.આ વર્ષે 9 માર્ચે હોળિકાદહન કરવામાં આવી રહ્યું છે. તો ભૂલ્યા વિના કરી લો આ શુભફળ આપતાં કામ.
હોળીની રાતે કરી લો આ 5માંથી 1 ઉપાય
હોળિકા દહનની રાતે ઉપાયોથી મળશે અખૂટ લાભ
આર્થિક સંકટથી લઈને બીમારીઓમાં પણ મળશે રાહત
આ છે પૌરાણિક કથા
હોળીના દિવસની સાથે ખાસ કથા જોડાયેલી છે. આ દિવસે હિરણ્ય ક્શ્યપની બહેન હોળિકા વિષ્ણુ ભક્ત બાળક પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠા. તેમને વરદાન હતું કે તે આગમાં બળશે નહીં. પરંતુ જ્યારે તેઓએ તેમ કર્યું તો પ્રહલાદ બચી ગયા અને હોળિકા બળી ગઈ. અસત્ય પર સત્યના વિજયની યાદમાં આ દિવસે હોળી ઉજવવામાં આવે છે.
હોળીની રાતે કરી લો આ ખાસ ઉપાયો, મળશે અખૂટ લાભ
આર્થિક સંકટ દૂર કરવા કરો આ કામ
હોળિકાની રાતે જ્યારે ચંદ્ર જોવા મળે ત્યારે પ્લેટમાં ખારેક અને મખાણાને રાખો અને શુદ્ધ ઘીનો દીવો અને અગરબત્તી કરો. સફેદ મિઠાઈ, કેસર અને સાબૂદાણાની ખીર અને સાથે જ દૂધથી ચંદ્રને અર્દ્ય આપો. માન્યતાઓ અનુસાર આ ઉપાય કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે અને સમૃદ્ધિ વધે છે. થોડા મહિના સુધી આ ઉપાય કરવાથી તમને ફરક જોવા મળશે.
બીમારીથી મળશે છૂટકારો
જો તમે કોઈ બીમારીથી પીડિત છો તો તેના માટે પણ ઉપાય છે. હોળિકા દહનની રાતે તમે આ મંત્રનો જાપ કરો અને તુલસીની માળા ફેરવો. ઓમ નમો ભગવતે રુદ્રાય મૃતાર્ક મધ્યે સંસ્થિતાય મમ શરીરં અમૃતં કુરુ કુરુ સ્વાહા. નો જાપ તમને લાભ અપાવશે.
ગ્રહ થશે અનુકૂળ
હોળિકા દહનની રાતે ઉત્તર દિશામાં સફેદ કપડું પાથરો અને તેની પર મગ, ચણાની દાળ, ચોખા, ઘઉં, મસૂર, કાળા અડદ નાંખો. તેની પર નવગ્રહ યંત્ર સ્થાપિત કરો. તેની પર કેસરનું તિલક કરો. ઘીનો દીવો કરો અને સાથે મંત્રજાપ કરો. જાપ પૂરો થાય એટલે પૂજા સ્થાને સ્થાપિત કરો અને ગ્રહ તમારા અનૂકૂળ થશે.
હોળિકા દહનની રાતે એકાક્ષી નારિયેળને લાલ કપડાંમાં ઘઉંના આસન પર સ્થાપિત કરો અને સિંદુરનું તિલક કરો. મગની માળાથી જાપ કરો. 21 માળા જાપ કર્યા બાદ આ પોટલીને દુકાનમાં એવી જગ્યાએ ટિંગાવો જ્યાં ગ્રાહકોની નજર તેની પર પડે. તેનાથી વ્યાપારમાં સફળતા મળવાના યોગ બનશે. મંત્ર- ઓમ શ્રીં શ્રીં શ્રીં પરમ સિદ્ધિ વ્યાપાર વૃદ્ધિ નમઃ
વિવાહ માટેનો ઉપાય
હોળીના દિવસે સવારે એક પાન પર સોપારી અને હળદરની ગાંઠ શિવલિંગ પર ચઢાવો અને સાથે તેની પાછળના ભાગમાં ફેરવ્યા વિના ઘરે લઈ આવો. આ પ્રયોગ અન્ય દિવસે પણ કરો. તમારા વિવાહના યોગ પ્રબળ બનશે.