સમગ્ર ભારતમાં આજે દુષ્ટતા અને બુરાઇ પર ભસમનસાઇ અને અચ્છાઇની જીતના ઉત્સવ માટે હોળિકા દહનનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ વખતે હોળી અને ધૂળેટી આજે એટલે કે 20 માર્ચ ત્યારે ધૂળેટી 21 માર્ચના રોજ છે. હોળીના તહેવારનું હિંદુ ધર્મમાં એક અલગ મહત્વ છે. આ દિવસે તમામ લોકો પોતાના રગ-દ્વેશ અને વેર ભૂલીને એકબીજાને રંગ લગાવીને ગળે મળી જાય છે.
ભારતીય પંચાગ અનુસાર, આ વખતે હોળિકા દહનના દિવસે ભદ્રા દશા હોવાના કારણો હોળીનું શુભ મૂહુર્ત 9.01 મિનિટથી રાત્રે 12.20 મિનિટ સુધી રહે છે. પૂનમ તિથિનો આરંભ 20 માર્ચ સવારે એટલે કે 10.44 મિનિટથી થશે જે બાીજા દિવસે એટલે કે 21 માર્ચ સવારે 7.10 સુધી છે. ઉલ્લેખનીય છે કે, હોળિકા દહન દર વખતે ભદ્રા નક્ષત્રમાં છે. આ સમયે હોળિકા દહન ન કરવુ જોઇએ આમ કરવાથી અશુભ ફળની સાથે સાથે નુકસાન પણ થાય છે. કેટલીક ખાસ સ્થિતિમાં ભદ્રા નક્ષત્ર પૂર્ણ થવાના આરે છે. ત્યારે હોળિકા દહન કરી શકાય.
આ છે વિધિ:
આ વખતે ભદ્રા રાત્રીના બીજા પ્રહરમાં જ સમાપ્ત થાય છે. જેનાથી દોષરહિત સમયમાં હોળી દહન કરી શકાશે. હોળી દહન સાથે તેનું પૂજન પણ કરવામા આવે છે. તેનાથી ઘરમાં સમુદ્ઘિ જળવાઇ રહે તેની માન્યતા છે. સુખ સમુદ્ઘિ માટે હોળીનુ પૂજન હળદરથી કરવુ જોઇએ. તેની ચારે તરફ અબીર-ગુલાબથી રંગોળી બનાવો. તેમાં પાંચ ફળ, અન્ન અને મિઠાઇ ચઢાવો. હોળીની 7 ગોળ પરિક્રમા કરતા કરતા જળ સમર્પિત કરો. આ પર્વ પૌરાણિક ઘટના જોડાયે છે. આજના દિવસે જ પોતાના ભાઇના કહેવા પર હોલિકા ભત્રીજા પ્રલ્હાદને લઇને અગ્નિ સ્નાન માટે બેઠી હતી, જોકે તેનું વરદાન ફળ્યુ ન હતો અને પ્રલ્હાદ બચી ગયો જ્યારે હોળિકા બળી ગઇ હતી.