આવતીકાલથી હોળાષ્ટકનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સમયે અનેક શુભ કામ પર પાબંધી છે. તમે પણ રાખજો ધ્યાન નહીં તો થશે મોટું નુકસાન.
આવતીકાલથી હોળાષ્ટકનો પ્રારંભ
હોળાષ્ટકમાં ન કરશો આ 5 કામ
નહીં તો થશે મોટું નુકસાન
આવતીકાલે ફાગણ મહિનાની શુક્લ પક્ષની આઠમની તિથિ છે અને આ દિવસથી હોળાષ્ટકનો પ્રારંભ થાય છે. હોળાષ્ટક હોળિકા દહનના દિવસ સુધી રહે છે. આ દિવસોમાં શુભ કાર્યોની મનાઈ કરવામાં આવી છે. આ કારણે હવેના 6 દિવસ સુધી કોઈ શુભ કાર્યો થશે નહીં. તો જાણો તમારે 22-28 માર્ચ સુધીમાં કયા કામ કરવાથી બચવું જરૂરી છે.
નોકરી બદલવાથી બચો
હોળાષ્ટકના સમયમાં તમે નોકરી બદલવાને લઈને સતર્ક રહો તે જરૂરી છે. કોઈ નવી નોકરી જોઈન ન કરો અને ન તો કોઈ નોકરી છોડો. નવી નોકરીમાં જોડાવવા માટે આ શુભ સમય નથી, જ્યોતિષના આધારે તમે આ દિવસોમાં નવી નોકરીમાં જોડાશો તો તમને અનેક સમસ્યાઓ આવી શકે છે.
જમીન, પ્લોટ કે મકાનની ન કરશો ખરીદી
જો તમે જમીન, મકાન કે પ્લોટ લેવાનું વિચરો છો તો તેને આજના દિવસમાં ખરીદી લો. આ પછી 28 માર્ચ સુધી તમે આ કામને ટાળો તે યોગ્ય છે. હોળાષ્ટકના સમયમાં જમીન, સંપત્તિ ખરીદવાને લઈને નિર્ણય લેવાનું ટાળો તે યોગ્ય છે.
ગૃહપ્રવેશ રાખો મોકૂફ
હોળાષ્ટકના સમયમાં ગૃહપ્રવેશને વર્જિત માનવામાં આવ્યો છે. તમારું મકાન બની ગયું છે અને તમે ગૃહપ્રવેશની તૈયારીઓ કરી રહ્યા છો તો તેને માટે તમે 28 ચારીખ પછીનો સમય પસંદ કરો. હોળાષ્ટકમાં નવા ઘરમાં પ્રવેશ કરવાથી દરિદ્રતાનો વાસ થાય છે.
વિવાહ કે સગાઈના કામ ટાળો
હોળાષ્ટકના સમયમાં તમે વિવાહ કે સગાઈના કામને ટાળો તે યોગ્ય છે. માન્યતા છે કે હોળાષ્ટકના સમયમાં કરાયેલા આ કામ અપશુકનવાળા રહે છે. વિવાહ કે દામ્પત્ય જીવનમાં સંબંધ તૂટવાનો ડર રહે છે.
બિઝનેસની શરૂઆત ન કરો
જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર હોળાષ્ટકના સમયમાં કોઈ પણ નવો બિઝનેસ શરૂ કરો નહીં. આ સમયે નવું સાહસ કરવાથી તમને નુકસાન થાય તે શક્ય છે. આ સિવાય તમે કંગાળીનો પણ સામનો કરી શકો છો. તો નવા બિઝનેસને પણ નવા મહિનાથી જ શરૂ કરવાનો પ્લાન કરો તે યોગ્ય છે.