શાસ્ત્રોમાં ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી લઈને હોળીકા દહન સુધીના સમયને હોળાષ્ટક કહેવામાં આવે છે. જ્યોતિષમાં હોળીથી આઠ દિવસ પહેલાં જ શુભ કાર્યોની મનાઈ કરવામાં આવે છે. હોળીના આઠ દિવસ પહેલાંનો સમય હોળાષ્ટક ગણાય છે. આ વર્ષે 10 માર્ચે હોળી હોવાના કારણે 2 માર્ચથી હોળાષ્ટક શરૂ થઈ રહ્યા છે.
2 માર્ચથી શરૂ થશે હોળાષ્ટક
હોળાષ્ટકમાં શુભ કાર્યો કરવાનું ટાળો
હોળી સુધી ન કરશો કોઈ પણ શુભકામ
હોળાષ્ટકની શરૂઆતના દિવસે જ શિવજીએ કામદેવને ભસ્મ કર્યા હતા. આ કાળમાં રોજ અલગ અલગ ગ્રહ ઉગ્ર રૂપમાં હોય છે. હોળાષ્ટકમાં શુભ કાર્યો કરી શકાતા નથી. જન્મ અને મૃત્યુ બાદ કરી શકાતા કાર્ય કરી શકાય છે.
હોળાષ્ટકમાં ન કરો આ કામ
હોળાષ્ટકના 8 દિવસમાં માંગલિક શુભ કરામ કરવું શુભ નથી. આ સમયમાં લગ્ન, ભૂમિપૂજન, ગૃહ પ્રવેશ, મંગળકામ, નવો ધંધો કે કામ કરવું નહીં.
હોળાષ્ટક શરૂ થતાંની સાથે જ 16 સંસ્કાર જેવા કે નામકરણ સંસ્કાર, જનોઈ સંસ્કાર, ગૃહપ્રવેશ, વિવાહ સંસ્કાર જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ લાગે છે.
હવન, યજ્ઞ પણ આ દિવસોમાં કરી શકાતા નથી. આ સિવાય નવવિવાહિતોને માટે આ દિવસોમાં પિયરમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.
હોળાષ્ટકનું મહત્વ
હોળાષ્ટકના સમયે ભક્તિની શક્તિનો પ્રભાવ રહે છે. આ સમયે તપ કરવાનું યોગ્ય છે. હોળાષ્ટક શરૂ થતાં એક ઝાડની શાખા કાપીને તેને જમીન પર લગાવવામાં આવે છે. તેમાં રંગબેરંગી કપડાંના ટુકડા બાંધવામાં આવે છે. તેને ભક્ત પ્રહલાદનું પ્રતીક માનવામાં આવે છે.
માન્યતાઓ અનુસાર જે ક્ષેત્રમાં હોલિકા દહનને માટે એક ઝાડની શાખા કાપીને જમીન પર લગાવવામાં આવે છે તે વિસ્તારમાં હોળીકા દહન સુધી કોઈ શુભ કામ થઈ શકતું નથી.
આ રીતે કરો હોળાષ્ટકના દિવસની શરૂઆત
હોળાષ્ટકના દિવસોમાં સંવત અને હોળીકાના પ્રતીક લાકડું અને ડંડાને રોપવામાં આવે છે. આ સમયે અલગ અલગ ચીજોથી હોળી રમવામાં આવે છે. આ દિવસે શિવજી કે કૃષ્ણ ભગવાનની ઉપાસના કરવામાં આવે છે. હોળાષ્ટકમાં પ્રેમ અને આનંદ માટે કરવામાં આવતા પ્રયાસ સફળ થાય છે.