નેતાઓનો પ્રવેશ બંધ કરીને મહિસાગરના ગામમાં અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોએ અહિં કામ ન થતા હોવાને કારણે નેતાઓ માટે ગામના દરવાજા બંધ કરી દીધા છે. આ બોર્ડને કારણે ચર્ચા ઉઠી છે કે કેમ આ ગામ વિરોધ કરી રહ્યુ છે. અને આવો અનોખો વિરોધ કરવાનો મતલબ શું?
મહીસાગરના ખેરોલી ગામનો મામલો
સ્થાનિક લોકોની નારાજગી
નેતાઓની ગામમાં પ્રવેશબંધી
સ્થાનિક પ્રશ્નો ન ઉકેલાતા નારાજગી
નેતાઓનો ગામમાં પ્રવેશ બંધ. જી હાં વાત એવા ગામની જ્યાં નેતાના પ્રવેશ માટે પ્રતિબંધ લગાવી દેવાયો છે. મહીસાગરના ખેરોલી ગામના લોકોએ સ્થાનિક પ્રશ્નોનનું નિરાકરણ ન આવતા આખરે ગામમાં નેતાઓની પ્રવેશ બંધીના બોર્ડ લાગવી દીધા છે.
શું કહે છે લોકો?
લોકોનું કહેવું છે કે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રમતા રાજકારણનું ભોગ આ ગામ બને છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, ભાજપના ધારાસભ્ય હશે તો વિકાસ થશે સરકારના આવા વણલના કારણે વીરપુરના ખેરોલી ગામનો એકપણ પ્રશ્નનું નિરાકરણ નથી આવતું. રોષે ભરાયેલા લોકોએ આખરે ગામમાં નેતાઓના પ્રવેશ બંધના બોર્ડ લાગવીને આ રીતે રોષ વ્યક્ત કર્યો છે.