લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલ હિંસક અથડામણમાં શહીદ થયેલ જવાનોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લદ્દાખ હિંસામાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયાં છે.
લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલ હિંસક અથડામણ મામલો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, 'લદ્દાખની ગલવાન ઘાટીમાં માતૃભૂમિની રક્ષા કરતી વખતે શહીદ થયેલા અમારા બહાદુર સૈનિકોને ગુમાવવાની પીડા શબ્દોમાં વર્ણવી શકાય નહીં. રાષ્ટ્ર આપણા અમર નાયકોને સલામ કરે છે જેમણે ભારતીય ક્ષેત્રને સુરક્ષિત કરવા માટે બલિદાન આપ્યું હતું. તેમની બહાદુરી તેમની જમીન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
I bow to the families, who have blessed Indian Army with such great heroes. India will always remain indebted for their supreme sacrifice. Entire nation and Modi government stands firmly with their families in this hour of grief. Praying for the speedy recovery of those injured.
ચીનના સૈનિકોએ ગોઠવેલ તંબુ હટાવવા ગયા સૈનિકો અને થઇ અથડામણ
આપને જણાવી દઈએ કે લદ્દાખમાં ચીનના સૈનિકો સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે જ, ચાર સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હિંસક અથડામણ ત્યારે શરૂ થઈ હતી જ્યારે ભારતીય સૈનિકો સરહદ નજીક ભારતીય બાજુ પર લગાવેલા તંબુઓને દૂર કરવા ગયા હતા. ચીન દ્વારા આ તંબુ લગાવવામાં આવ્યો હતો અને 6 જૂને બંને પક્ષના લેફ્ટનન્ટ જનરલ-રેન્કના અધિકારીઓની બેઠક બાદ તંબુ હટાવવાની સંમતિ થઈ હતી. પરંતુ ચીને તંબૂ હટાવ્યો નહીં, જેના પછી હિંસક અથડામણ થઈ.
The pain of losing our brave soldiers while protecting our motherland at Ladakh’s Galwan can not be put in words. Nation salutes our immortal heroes who sacrificed their lives to keep Indian territory safe and secure. Their bravery reflects India’s commitment towards her land.
ભારત અને ચીનની સરહદ પર ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતના 20 જવાનોને રક્ષામંત્રી રાજનાથસિંહે શ્રદ્ધાંજલી આપી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે પોતાના ટ્વિટ પરથી નિવેદન જારી કર્યું છે. રાજનાથસિંહે લખ્યું કે ગલવાન ઘાટીમાં સેનાના જવાનોએ પોતાની ફરજ નિભાવતાં પોતાનો જીવ આપ્યો છે, દેશ તેમના બલિદાનને ક્યારેય ભુલી નહીં શકે.
રાજનાથસિંહે ટ્વિટ કરી લખ્યું છે કે ગલવાન ઘાટીમાં સૈનિકોને ગુમાવવા દર્દનાક છે. આપણા સૈનિકોએ પોતાની ફરજ નિભાવતા દેશ માટે જીવ આપ્યો છે. દેશ તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.
વિપક્ષનો મોદી સરકારને સવાલ
ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સતત વધી રહેલા તણાવને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે બસ, હવે ઘણું થયું, દેશ જાણવા માગે છે કે આખરે થયું શું?, PM મોદી કેમ મૌન છે? બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમે પણ ચીનની સેના સાથે થયેલી અથડામણમાં ભારતીય જવાનોની શહીદી બાદ ટ્વિટર પર કેન્દ્ર સરકારને ઘેરી હતી. ચિદમ્બરમે કહ્યું કે દેશ રક્ષા મંત્રાલય અથવા સેના મુખ્યાલયની તરફથી કોઇ નિવેદનને લઇને રાહ જોઇ રહી છે.
સોમવારે રાતે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ
LAC પર સોમવારે ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે તેવું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ત્યાર બાદ ભારતીય સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. અગાઉ મંગળવારે બપોરે સત્તાવાર રીતે એક ઓફિસર અને 2 જવાનો શહીદ થયા હોવાની ખબર સામે આવી હતી ત્યારે હવે સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આ હિંસક અથડામણમાં 20 જવાનો શહીદ થયા છે. સોમવાર રાત્રે બંને દેશો વચ્ચે સેનાઓની વચ્ચે હિંસક અથડામણ દરમ્યાન આ ઘટના બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે સોમવારે રાતે ગલવાન ઘાટી પાસે બંને દેશો વચ્ચે વાતચીત બાદ સ્થિતિ સામાન્ય થવા તરફ વધી રહી હતી.
ચીનના સૈનિકોના મોત પરંતુ ડ્રેગન સ્વીકારવા તૈયાર નહીં
પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયા છે. જ્યારે આ અથડામણમાં ચીનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં ચીનના પણ 43 સૈનિકો ઇજાગ્રસ્ત કે મૃત્યુ પામ્યા છે તેવા સૂત્રો દ્વારા સમાચાર મળ્યાં છે. આ વચ્ચે LACની બીજી તરફ ચીનના હેલિકોપ્ટર જોવા મળ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ હેલિકોપ્ટરમાં મૃત અને ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. જો કે ચીની મીડિયામાં તેમના સૈનિકોના મોતને લઈને કોઈ ખબર છપાઈ ન હતી અને માત્ર અથડામણ થઈ હતી તેવું કવરેજ કરાયું હતું.