ગુજરાતમાં રાજકિય વાતાવરણમાં પલટો આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે જેમાં તે સરકારી પ્રોજેક્ટના લોકોર્પણ અને ભાજપ સંગઠન સાથે કેટલી મહત્વની બેઠકો કરવાના છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં મંત્રીઓ મોઘમમાં વાતો કરી રહ્યા છે. ક્યારેક સીએમ અચાનક ક્રિકેટની ભાષામાં કંઈક ઈશારા કરે છે તો ક્યારેક ડેપ્યુટી સીએમ અચાનક કોમોડિટીની ભાષામાં વાત કરવા લાગે છે તો વળી બીજી બાજુ પ્રદેશ પ્રમુખ કેટલાક સમયથી અલિપ્ત હોય તેવો ભાજપ સરકારનો નજારો હોવાની ચર્ચા છે.
હોમમિનિસ્ટર આજે અમદાવાદની પણ મુલાકાત લેશે
ભાજપ સંગઠનમાં આગામી ફેરફાર અંગેની બેઠકો
ભરતી કૌભાંડ, CAA નો વિરોધ, ખેડૂતોના પાકવીમા અંગે પણ બંધબારણે ચર્ચા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં સવારે 10.30 વાગ્યે વિશ્વાસ પ્રોજેક્ટને લોન્ચ કરશે. તેમજ કમાન્ડિંગ ઈન કંટ્રોલ રૂમની મુલાકાત લઈ ખુલ્લો મુકશે. અને બ્રેઈલ લીપીમાં તૈયાર કરેલી બુકલેટનું વિતરણ કરશે. આ ઉપરાંત અમદાવાદમાં નારણપુરા ખાતે ભાજપ કાર્યકરો સાથે સ્નેહમિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જે દરમિયાન તેમને CAAના સમર્થનમાં 5 લાખ પોસ્ટકાર્ડ સોંપાશે. CM વિજય રૂપાણી,DyCM નીતિન પટેલ, જીતુ વાઘાણી અને પ્રદિપસિંહ પણ હાજર રહેશે.
ગૃહમંત્રી અમિત શાહનો આજનો કાર્યક્રમ
સવારે 10:30 વાગે
મહાત્મા મંદિર ખાતે વિશ્વાસ પ્રોજેકટનું લોન્ચિંગ
ગૃહવિભાગે બનાવેલી એપ્લિકેશનનું લોન્ચિંગ
બ્રેઈલ લીપીમાં તૈયાર કરેલી બુકલેટનું વિતરણ
કમાન્ડિંગ ઈન કંટ્રોલ રૂમને મુકશે ખુલ્લો
બપોરે 12:00 વાગે
ગાંધીનગર રેલવે સ્ટેશન પર કાર્યક્રમ
11 નાના મોટા રેલવે સ્ટેશનો પર સુવિધાઓનું લોકાર્પણ
CM ડેશબોર્ડની પણ મુલાકાત
બપોરે 3:00 વાગે
GTUના પદવીદાન સમારોહમાં સંબોધન
સાંજે 6:00 વાગે
નારણપુરા ખાતે ભાજપ કાર્યકરો સાથે સ્નેહમિલન
CAAના સમર્થનમાં 5 લાખ પોસ્ટકાર્ડ સોંપાશે