અસમમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે અમે પાંચ વર્ષમાં અસમને આતંકવાદથી મુક્ત કર્યું છે.
અસમમાં અમિત શાહનો ચૂંટણી પ્રચાર
અસમને આતંકવાદથી મુક્ત કરી દીધું : શાહ
અજમલણે ઉખાડીને ફેંકી દેવાનું કામ કરીશું : શાહ
ભારતના પાંચ રાજ્યોમાં ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા જબરદસ્ત ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે અસમમાં ત્રીજા ચરણની ચૂંટણી માટે પ્રચાર કરવા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે ફરીવાર અસમમાં આતંકવાદથી મુક્ત રાજ્યને મુક્ત કરવા માટે શ્રેય ભાજપને આપ્યો છે. આ સાથે જ વર્ષ 2016 પહેલાની અસમની કોંગ્રેસ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે.
વાયદા પૂરા કર્યા હોવાનો દાવો
અમિત શાહે કહ્યું કે વર્ષોથી અસમમાં આતંકવાદ થાય છે અને ગોળીઓ ચાલે છે. યુવાનો અને પોલીસકર્મીઓની મોત થઈ રહી હતી પણ કોંગ્રેસ કશું ન કરી શકી. કોંગ્રેસને બધાને લડાવવામાં આનંદ આવતો હતો. તમે પૂર્ણ બહુમતની સરકાર બનાવી અને પાંચ વર્ષમાં અમે અસમને આતંકવાદથી મુક્ત કરી દીધું.
હિંસાનો યુગ સમાપ્ત કર્યો : શાહ
અમિત શાહે કહ્યું કે પાંચ વર્ષ પહેલા મેં આ જગ્યા પર જ કહ્યું હતું કે ભાજપની સરકાર બનાવી દો અમે રાજ્યને આતંકવાદથી મુક્ત કરી દઇશું. મેં વાયદો કર્યો હતો લે એક વિકસિત અસમ આપીશું. આજે બધા જ વાયદા પૂરા કરીને ભાજપ ફરીથી આશીર્વાદ માંગવા આવી છે. અમે કહ્યું હતું કે અસમમાં હિંસાનો યુગ સમાપ્ત કરીને શાંતિ સ્થાપિત કરીશું.
અજમલને ઉખાડીને ફેંકી દઇશું : શાહ
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ ક્યારેય હિંસા અને આતંકવાદને સમાપ્ત કરવા માંગતી જ ન હતી. અમે ડબલ એન્જિનની સરકારના માધ્યમથી અસમને વિકાસના રસ્તા પર લઈ જવાનું કામ કર્યું છે. મોદીજીએ અસમના વિકાસ માટે ખૂબ બધા કામ કર્યા છે. બ્રહ્મપુત્ર નદી પર 6 પુલ બનાવવામાં આવ્યા છે અને તેલ ક્ષેત્રના વિકાસ માટે પણ 46 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. અમિત શાહે હુંકાર ભરતા કહ્યું કે અજમલ કાન ખોલીને સાંભળી લે, અસમમાં ઘૂશણખોરોનો અડ્ડો નહીં બનવા દઈએ. તમને ઉખાડીને ફેંકી દેવાનું કામ ભાજપ કરશે.