દિલ્હીનાં એરપોર્ટ પર મંગળવારનાં રોજ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આતંકી સંગઠન હિઝબુલ મુઝાહીદ્દીનનાં એક આતંકીની ધરપકડ કરી લીધી છે. આતંકીની ધરપકડ બાદ દિલ્હી-એનસીઆરમાં હાઇ એલર્ટ રજૂ કરી દેવામાં આવેલ છે.
ધરપકડ કરવામાં આવેલ આતંકીનું નામ અન્સારૂલ જણાવવામાં આવી રહેલ છે. આ આતંકી 28 ઓક્ટોમ્બરનાં રોજ કશ્મીરનાં પુલવામા જિલ્લામાં જમ્મુ-કશ્મીર પોલીસનાં એસઆઇ ઇમ્તિયાઝ અહમદ મીરની હત્યામાં શામેલ હતો. સ્પેશિયલ સેલ તેઓની દરેક મૂવમેન્ટ પર છેલ્લાં 15-20 દિવસોએ નજર રાખી રહી હતી અને આજે તેને દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરી લેવામાં આવી.
હકીકતમાં જમ્મુ-કશ્મીરમાં સેના ઓપરેશન ઓલ-આઉટ અંતર્ગત આતંકીઓની પસંદગી કરીને ઠેકાણે લગાવી રહેલ છે. આનાંથી ગભરાયેલા આતંકીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું. આ કડીમાં થોડાંક દિવસો પહેલાં જ આતંકીઓએ એક ધમકી પણ આપી હતી કે ઘાટીનાં પોલીસકર્મી અને એસપીઓ પોતાની નોકરીઓ છોડી દે. આ જ ધમકી અંતર્ગત ઇમ્તિયાઝની હત્યા કરવામાં આવી.
આ ઘટના બાદથી આ ફરાર થઇ ગયો હતો. આ હત્યા બાદ તે સૌથી પહેલા કશ્મીરથી દિલ્હી આવ્યો. બાદમાં અહીંથી મુંબઇ ગયો અને મુંબઇથી બેંગલુરૂ થઇને પરત દિલ્હી પહોંચ્યો હતો. અહીંયાથી તે કશ્મીર જવાની ફિરાકમાં તે હતો. ધરપકડ કરાયેલ આતંકીની ઉંમર અંદાજે 24-25 વર્ષ જણાવવામાં આવી રહેલ છે અને આને અંગ્રેજીથી એમએ પણ કર્યું છે.