હિઝબુલના મુજાહીદ્દીનના કમાન્ડરને સેનાએ ઠાર માર્યો હતો અને એક આતંકીની ધરપકડ કરી હતી.
રવિવારે શ્રીનગરની બહારના વિસ્તારમાં સિક્યોરીટી ફોર્સીસે આ એન્કાઉન્ટર કર્યું હતું. રંગરેથ વિસ્તારમાં આતંકીઓ છુપાયાની માહિતી મળતા સેનાએ વિસ્તાર ને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન કરીને આ એનકાઉન્ટર કર્યું હતું.
આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ સેના ઉપર ફાયરિંગ કર્યું હતું જેનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. સેના તરફથી થયેલા ફાયરિંગમાં હિઝબુલનો કમાન્ડર સૈફુલ્લાહ ઠાર મરાયો હતો જે સુરક્ષા દળોના વોન્ટેડ લિસ્ટમાં હતો.
આ ઉપરાંત અન્ય એક આતંકીની ધરપકડ કરાઈ હતી. આ સ્થળેથી હથિયારો અને દારૂગોળો જપ્ત થયો હતો. આ મુદ્દે કાશ્મીરના IGએ કહ્યું હતું કે આ સુરક્ષા દળો માટે મોટી સફળતા છે.
સૂત્રો પ્રમાણે રીયાઝ નૈકુને બદલે ચીફ કમાન્ડર તરીકે સૈફુલ્લાહને મુકવામાં આવ્યો હતો. તે બે દિવસ પહેલાના 3 ભાજપના કાર્યકરોની હત્યા પાછળ જવાબદાર હતો.