શીળસ નામથી ઓળખાતો ચામડીનો આ રોગ આયુર્વેદમાં શીતપિત્ત નામથી પણ ઓળખાય છે. ચોમાસામાં ત્વચાગત વિકારોનું પ્રમાણ વધી જાય છે. ચાલો આજે શીળસ માટે સચોટ ઉપાય જાણીએ.
ચોમાસામાં ભયંકર વકરે છે ચામડીનો રોગ શીળસ
સખત ખંજવાળ, લાલ ચકામા જેવી સમસ્યા થવા લાગે છે
શીળસ માટે સચોટ ઘરેલૂ ઉપાય કરો
શીળસ થવાનાં કારણો
આયુર્વેદના મતે આ રોગ શરીરમાં એક સાથે ગરમી અને ઠંડીના પ્રભાવનાં કારણે થાય છે. આયુર્વેદમાં શીળસને ત્રિદોષજ વ્યાધિ કહેલી છે. ઠંડી હવાનાં સ્પર્શથી કફ અને વાયુ પ્રકુપિત થઈ પિત્તની સાથે મળી બહારની ત્વચા તથા આંતરીક રક્ત ધાતુઓમાં ફેલાઈને શીતપિત્ત ઉત્પન્ન કરે છે.
ખટાશની એલર્જી, વાતાવરણમાં ફેરફાર, માખી-મચ્છર જીવજંતુના કરડવાથી, કૃમિનાં ઉપદ્રવથી, હેર ડાઈની એલર્જીથી, દહીં, આમલી, છાશ, ખાટાં ફળો, આથાવાળી વસ્તુઓનું વધુ પ્રમાણમાં સેવન, વિરૂદ્ધ આહાર વિહાર કરવાથી, દૂધ સાથે હીંગ, ડુંગળી, લસણ ખાવાથી, ફ્રૂટ સલાડ અને મિલ્ક શેકના સેવનથી કેટલાંકને શીળસ શરૂ થઈ જાય છે.
આટલું ધ્યાન રાખો
સૌથી પહેલાં લીંબુ, દહીં, ટમેટા, શીખંડ, જમરૂખ, ખાટાં તમામ ફળો, કેરીનું અથાણું, લીંબુનું અથાણું, હાંડવો, ઢોકળા, ખમણ, ઈડલી, ઢોંસા, ઉત્તપમ, દહીંવડા જેવી તમામ આથાવાળી વાનગીઓ અને ખાટાં પીણાં પીવાથી આ રોગ વધે છે અને વકરે છે.
આ સિવાય આઇસક્રીમ, ઠંડા પીણાં અને ઠંડો પવન કે એકદમ ઠંડા પાણીથી સ્નાન કરવાથી પણ લાલ ચકામા અને ખંજવાળ ઉપડી આવે છે. ઘણા લોકોને રાત્રે ઠંડક અથવા એસીના કારણે પણ શીળસની સમસ્યા ઉદભવે છે. તો આ તમામ વાતોનું ધ્યાન રાખવું.