બાંગ્લાદેશમાં ટીમ ઈન્ડિયા વનડે અને ટેસ્ટ સીરિઝ રમવાની છે અને આ સીરિઝની સાથે ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા પણ કમબેક કરવા માટે તૈયાર છે.
ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના ટુર બાદ બાંગ્લાદેશ જવા માટે રવાના થશે
કેપ્ટન રોહિત શર્મા પણ કમબેક કરવા માટે તૈયાર
ભારતીય ટીમ 4 ડિસેમ્બરથી બાંગ્લાદેશ ટુર શરૂ કરશે
ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના ટુર બાદ તુરંત જ બાંગ્લાદેશ જવા માટે રવાના થશે. જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં ટીમ વનડે અને ટેસ્ટ સીરિઝ રમવાની છે અને આ સીરિઝની સાથે ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા પણ કમબેક કરવા માટે તૈયાર છે. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલ હિટમેન તેના કમબેક માટે હાલ ઘણી મહેનત કરી રહ્યા છે.
જણાવી દઈએ કે ટી-20 સીરિઝ હાર્યા પછીથઈ ટીમ ઈન્ડિયામાં ઘણા ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી હતી અને લોકોની માંગ છે કે રોહિત શર્માને હવે કેપ્ટનશીપમાંનથી હટાવી દેવા જોઈએ આ બધા વચ્ચે રોહિત શર્માએ સોશ્યલ મીડિયા પર તેની તસવીર શેર કરીને જણાવ્યું છે કે તે અત્યારે પાછળ હટવાના મૂડમાં નથી. હાલ આ તસવીરો સોશ્યલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે.
તસવીરોમાં રોહિત એકદમ ફિટ દેખાઈ રહ્યો છે અને સાથે દેખાઈ રહ્યું છે કે હિટ મેન થોડો પાતળો પણ થઈ ગયો છે. આ તસવીરો તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે અને લોકો એવી અપેક્ષા લગાવવા લાગ્યા છે કે બાંગ્લાદેશ પ્રવાસમાં હિટમેન તેના જૂના રંગમાં જોવા મળશે. જણાવી દઈએ કે ટી-20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા સહિત ટીમના સિનિયર ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો હતો.
રોહિતે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જેમાં તે મુંબઈના મેદાનમાં જ નેટ્સ પર પ્રેક્ટિસ કરતો જોવા મળે છે અને તેને આ તસવીરો સાથે કેપ્શન લખ્યું, 'હું મારા ઝોનમાં છું'. રોહિતની તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ પ્રવાસ સાથે પરત ફરશે અને તે પણ એમ જ ઈચ્છે છે કે તેનું ફોર્મ પણ પાછું આવે. T20 વર્લ્ડ કપની સાથે સાથે એશિયા કપમાં પણ તેના બેટમાંથી ખાસ રન આવ્યા ન હતા. આ માટે કેપ્ટન તરીકેના તેમના નિર્ણયો પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પણ હવે લાગી રહ્યું છે કે હિટ મેન કમબેક કરવા માટે તૈયાર થઈ ગયો છે.
જણાવી દઈએ કે ભારતીય ટીમ 4 ડિસેમ્બરથી બાંગ્લાદેશ ટુર શરૂ કરશે અને પહેલા બંને ટીમો વચ્ચે ત્રણ વન-ડે મેચોની સીરિઝ રમાશે અને આ પછી 14 ડિસેમ્બરથી એક ટેસ્ટ સીરિઝ થશે જેમાં બે મેચ રમાશે.