કેશોદ-વેરાવળ માર્ગ પર આવેલ જુથળના પાટીયા પાસે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં પિતા-પુત્રના કમકમાટીભર્યા મોતથી પરિવારજનોમાં કાળો કલ્પાંત સર્જાયો છે.
કેશોદ વેરાવળ રોડ વચ્ચે અકસ્માત
અકસ્માતમાં પિતા-પુત્રનું કમકમાટીભર્યુ મોત
અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક થયો ફરાર
જુનાગઢના કેશોદ-વેરાવળ રોડ રકતરંજીત બન્યો છે. કેશોદ વેરાવળ રોડ પર આવેલ જુથળ પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બાઈક સવાર પિતા-પુત્રના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે જાણ થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. બીજી તરફ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ આરંભયો છે.
અજાણ્યા વાહન ચાલક અકસ્માત બાદ થયો ફરાર
કેશોદ-વેરાવળ રોડ બાઇક ચાલક પિતા પુત્રને અડફેટે લાઈ અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હતો.જેમાં ગંભીર ઇજાને પગલે પિતા-પુત્રને કાળ ભેટી ગયો હતો. આ અંગેના વાવળ વહેતા થતા સમગ્ર પંથક શોકમાં ગરકાવ થયો છે. બીજી બાજુ પિતા-પુત્રના કમકમાટીભર્યા મોતથી પરિવારજનોમાં કાળો કલ્પાંત સર્જાયો છે. જ્યારે પિતા પુત્રના મૃતદેહને કેશોદની સિવિલ ખસેડી તપાસ હાથ ધરાઈ છે.પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
ગુજરાતમાં આકસ્માતની ઘટનાનો ચિંતાજનક આંકડો
ગુજરાતમાં સતત રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે.વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં આકસ્માતની ઘટના પણ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે રાજ્યમાં તાજેતરમાં સંબંધિત વિભાગ દ્વારા જાહેર કરવામા આવેલ વિગત મુજબ રાજ્યમાં રોજના સરેરાશ 43 અકસ્માતમાંથી 22 લોકોના મૃત્યુ થાય છે. દર બીજા એક્સિડન્ટ (અકસ્માત) માં એક વ્યક્તિનું મૃત્યુ થઇ રહ્યું છે. વર્ષ 2021માં દેશમાં 4.22 લાખ ટ્રાફિક અકસ્માત થયા છે. જેમાં 1.73 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતના સૌથી જવાબદાર કારણોમાં બેફામ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડ સૌથી વધારે જવાબદાર કારણ છે