દશામાના જાગરણમાં મંદિરે પગપાળા જઈ રહેલા લોકો બન્યા અકસ્માતનો ભોગ
પાલનપુરના ગઢ-મડાણા ગામે હીટ એન્ડ રન
બેફામ કારચાલકે 7 રાહદારીઓને અડફેટે લીધા, 2ના ઘટનાસ્થળે મૃત્યુ
દશામાના જાગરણમાં મંદિરે પગપાળા જઈ રહ્યા હતા લોકો
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં એકા એક વધારો થઈ રહ્યો છે. વાહન પુર ઝડપથી હંકારવાના કારણે કેટલાય લોકોના અકસ્માતથી મોત થઈ રહ્યા છે. ગઢ-મડાણા ગામે હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે.
અકસ્માત એટલો ભયાવહ હતો કે બેફામ કારચાલકે 7 રાહદારીઓ અડફેટે લીધા હતા જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.
દશામાના જાગરણમાં મંદિરે પગપાળા જઈ રહ્યા હતા લોકો
રાજયભરમાં હાલ દશામાતાનું વ્રત ચાલી રહ્યું છે. જેથી શ્રદ્ધાળુઓ દશામાના દર્શન કરવા પગપાળા જતાં હોયછે.. ત્યારે દશામાના જાગરણ નિમિતે મંદિરે પગપાળા જઈ રહેલા લોકો અકસ્માતનું નિમિત બન્યા છે. પાલનપુરના ગઢ-મડાણા ગામે હીટ એન્ડ રનનો ભયાવહ બનાવ બન્યો છે. કારને પુર પાટ ઝડપે હંકારી રહેલા ચાલકે મંદિરે પગપાળા જઈ રહેલા રાહદારીઓને અડફેટે લીધા હતા. કાર ચાલકે પાછળથી આવી આ અકસ્માત સર્જ્યો હતો. અચાનક બનેલા આ બનાવથી રાહદારીઓ સાવ અજાણ હતા. બેફામ રીતે ગાડી હંકારી રહેલો શખ્સ 7 લોકોને કદાચ જોઈ ન શક્યો તેની સ્પીડ વધારે હોવાને કારણે કંટ્રોલ ન કરી શકયો છેવટે કાર પરથી કાબૂ ગુમાવતા ચાલીની જઈ રહેલા લોકો પર ગાડી ચડાવી દીધી, સમગ્ર ઘટનામાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, તેમાંથી 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે.
હિટ એન્ડ રન
કાર ચાલકે એક તરફ ગાડી વધુ ઝડપથી ચલાવી આ અકસ્માત સર્જ્યો જે બાદ ગુનામાં હોવા છતાં પણ ત્યાં એક પણ સેકન્ડ રોકાયા વગર, રાહદારીઓનું શું થયું તે ભાળ મેળવ્યા વગર કાર પગપાળા ચાલીને જતાં લોકો પર કાર ચડાવી આરોપીની ફરાર થઈ ગયો છે. હાલ ઘાયલ થયેલી હાલતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા છે તો બીજી તરફ બે લોકોના મૃત્યુ થતાં પીએમ અર્થે હોસ્પિટલમાં મૃતદેહ મોકલાયા છે. સમગ્ર ઘટનાની હાલ તપાસ ચાલી રહી છે. અને હિટ એન્ડ રન કરી ઘટના સ્થળેથી કાર મૂકી ફરાર થયેલા ચાલકને શોધવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે.