ઐતિહાસિક ભૂચરમોરીની ભૂમિ પર આગામી 18 ઓગસ્ટે 5,000 રાજપુત યુવાનો દ્વારા તલવાર રાસ કરીને વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપીત કરવામાં આવશે.
જામનગરની ભૂચરમોરીની ભૂમિ પર ઇતિહાસ રચાશે
5,000 રાજપુત યુવાનો દ્વારા તલવાર રાસ કરાશે
વિશ્વ રેકોર્ડને લઈને યુવાઑ દ્વારા તડામાર તૈયારી
જામનગરના ધ્રોલ ખાતે આવેલ ઐતિહાસિક ભૂચરમોરીની ભૂમિ પર ફરી એક વાર ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે. આગામી 18 ઓગસ્ટે 5,000 રાજપુત યુવાનો દ્વારા તલવાર રાસ કરીને વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવશે.આ માટે ભૂચરમોરીના મેદાનમાં છેલ્લાં ઘણા દિવસોથી તડામાર તૈયારીઑ ચાલી રહી છે.
સાતમના દિવસે વીર શહીદોને આન બાન અને શાન સાથે શ્રદ્ધાંજલિ આપશે
ધ્રોલ ખાતે આવેલા આ ભૂચર મોરીના મેદાન સાથે એક આખો શૌર્ય ઇતિહાસ જોડાયેલો છે. ઇતિહાસ પર આછેરી નજર કરીએ તો ઈ.સ 1591માં અહીં નવાનગર સ્ટેટના રાજવી અને મિર્ઝા અઝીઝ કોકાની સેના વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં એક ક્ષત્રિય રાજવીએ શરણે આવેલા મુસ્લીમ સૂબાને બચાવવા અને શરણાગત ધર્મને સાચવવા માટે યુદ્ધમાં પોતાના પ્રાણની આહુતિ આપી હતી. ઇ.સ. ૧૫૯૨ના શ્રાવણ વદ (શિતળા) સાતમ ને બુધવારના દિવસે યુધ્ધ સમાપ્ત થયું હતું. તેથી દર વર્ષે શીતળા સાતમના દિવસે વીર શહીદોને આન બાન અને શાન સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પણ ભૂચર મોરીના યુદ્ધમાં શહીદ થયેલા શહીદોની યાદમાં શહીદવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં પર્યટકો મેદાનની સાથે સાથે શહીદ વનની મુલાકાતે આવતા રહે છે. ત્યારે હવે છેલ્લાં થોડા વર્ષોથી શહીદ રાજપૂત વીરોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચનારા બન્યા છે. હવે શહીદ રાજપૂતોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે યુવાનોને વિવિધ પ્રકારની અશ્વ સવારી અને અશ્વસવારી સાથે જોડાયેલી રમતોની તાલીમ આપવામાં આવી રહી છે.
વીર રાજપૂતોને શ્રદ્ધાંજલિ આપવા યુવાનોમાં થનગનાટ
અશ્વ હરિફાઈ, તલવાર રાસ સહિત અનેક પ્રકારના કાર્યક્રમના આયોજનનોમાં જોશપૂર્વક ભાગીદારી નોંધાવી રહ્યા છે. તો બીજી તરફ રાજપૂત મહિલાઓ પણ શહીદોને ગૌરવવંતી શ્રદ્ધાંજલિ અર્પવા માટે વિવિધ કાર્યક્રમોમાં સામેલ થઈ રહી છે. આ અગાઉ 2,500 જેટલી રાજપૂતાણીઓ દ્વારા તલવાર રાસ કરીને વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો.ત્યારબાદ હવે 18 ઓગસ્ટના રોજ 5000 રાજપુત યુવાનો તલવાર રાસ કરીને યુદ્ધમાં શહીદ થયેલા વીર રાજપૂતોને શ્રદ્ધાંજલિ આપવા થનગની રહ્યા છે.
ભૂચર મોરીના યુદ્ધનો ઇતિહાસ
અંદાજે 429 વર્ષ પહેલા જામનગરના ધ્રોલ પાસે આવેલા ભૂચર મોરીના મેદાનમાં ખેલાયેલું યુદ્ધ ગુજરાતના પાણીપદના યુદ્ધ તરીકે ઓળખાય છે. ભારતમાં જેમ પાણીપતનું યુદ્ધ હતું તેટલું જ ભયાનક યુદ્ધ ધ્રોલના ભૂચર મોરીમાં ખેલાયું હતું. એ સમયે મુઘલોથી બચીને ભાગેલા અમદાવાદના બાદશાહ મુઝફ્ફરને જામનગરે આશરો આપ્યો હતો, આ બાબતોનો ખાર રાખી અકબરે એ સમયે ગુજરાતના સૂબા મીર્ઝા અઝીઝ કાકાને જામનગર પર આક્રમણ કરવા આદેશ આપ્યો હતો અને મીર્ઝા અઝીઝ કાકા સામે ભૂચર મોરીના મેદાન ખાતે યુદ્ધ લડાયું. ત્યારે અનેક રાજપૂતો શહીદ થયા હતા.
શહીદોની યાદમાં શહીદ વનનું નિર્માણ કરાયું
રાજ્ય સરકાર દ્વારા પણ ભૂચર મોરીના યુદ્ધમાં શહીદ થયેલા શહીદોની યાદમાં શહીદ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે પ્રિય તકો ખૂબ જ મોટી સંખ્યામાં મેદાનની સાથે સાથે શહીદ વનની મુલાકાત પણ લે છે.અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પરણેતા ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં આ કાર્યક્રમ કરવામાં આવશે ત્યારે રાજપૂત યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.