આપણા ઇતિહાસમાં અમુક એવા દિવસો છે જે હંમેશા યાદ રહેતા હોય છે. ત્યારે આજના દિવસે આયરલેન્ડમાં એક એવી દુર્ઘટના ઘટી હતી કે જે આજે પણ લોકોના માનસ પટ પરથી દુર થઇ નથી. આ દુર્ઘટનાએ અનેક લોકોના જીવ લીધા હતા.
શું છે ઇતિહાસમાં આજના દિવસે બનેલી આ ઘટના...
એર ઇન્ડિયા ફ્લાઇટ-182એ આજના દિવસે એટલે કે 23 જૂનના રોજ લંડન જવા માટે મોન્ટ્રિયલથી ઉડાન ભરી હતી. જે વિમાનમાં 329 લોકો સવાર હતા. જેમાં 304 મુસાફરો અને 22 ક્રૂમેમ્બરનો સમાવેશ થતો હતો. જે આયર્લેન્ડના આકાશમાં એટલાન્ટિક સમુદ્ર પરથી 31 000 ફૂટ ઉંચે પસાર થઇ રહ્યું હતું. ત્યારે તેને એક બોમ્બ વડે ઉડાવી દેવામાં આવતા સમુદ્રમાં તૂટી પડયું હતું.
આ વિસ્ફોટમાં વિમાનમાં સવાર તમામ 329 લોકોના મૃત્યુ થયા હતા. જેમાંથી 280 નાગરિકો કેનેડાના હતા તો 22 ભારતીય હતા. આધુનિક કેનેડાના ઇતિહાસમાં સર્જાયેલો આ સૌથી મોટો સામુહિક હત્યાકાંડ હતો. નરીટા એરપોર્ટના બોમ્બકાંડના કલાકની અંદર જ આ વિમાનમાં વિસ્ફોટ અને તૂટી પડવાની ઘટના બની હતી.
તપાસ અને ફરિયાદમાં લગભગ 20 વર્ષનો ગાળો વિત્યો અને કેનેડાના ઇતિહાસનો આ સૌથી ખર્ચાળ ખટલો હતો જેમાં અંદાજે 130 મિલિયન સીએડી ડોલરનો ખર્ચ થયો હતો. ખાસ પંચે આરોપીઓ કસૂરવાર ન જણાતા તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. 2003માં અપરાધી હોવાની દલીલ કરવામાં આવ્યા બાદ માત્ર એક વ્યક્તિને આ બોમ્બ ધડાકામાં સંડોવણી બદલ માનવવધ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.