નાગપૂજાનો ઉલ્લેખ ધર્મ ગ્રંથોમાં પણ જોવા મળે છે. આજે પણ તેને પહાડી વિસ્તારોમાં ઉજવવામાં આવે છે. અનેક જગ્યાઓએ વિધિ વિધાનથી નાગપૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર મંદિરના ખજાનાની રખેવાળી કરનારા દેવતાના રૂપમાં તેની પૂજા થાય છે. અહીં લોકો તેમને કુળદેવતાના રૂપમાં પૂજે છે. હિમાચલમાં મંડી જિલ્લામાં લગભગ 70 કિલોમીટરના અંતરે પાણીની નીચે છુપાયેલો ખજાનો જોઈ શકાય છે. નાગદેવતાને કારણે આ ખજાનાને કોઈ અડી શકતું નથી. તેને ચોરી કરવાની કોશિશ કરનારાની સાથે એવું થાય છે કે કોઈ ક્યારેય કોશિશ કરતું નથી.
હિમાચલની મંડીના તળાવમાં છે ખજાનો
તળાવ પર નોટ તરતા દેખાય છે અને જોઈ શકાય છે ખજાનો
કમરુનાગ દેવતા કરે છે ખજાનાની રક્ષા
કમરુનાગ તળાવમાં સોના ચાંદી અને રૂપિયા પૈસા ચઢાવવાની પરંપરા સદીઓ જૂની છે. શ્રદ્ધાળુઓ અહીં પોતાની મનોકામના પૂરી કર્યા બાદ આસ્થા અનુસાર સોના અને ચાંદી ચઢાવે છે. સમુદ્રતટથી 9000 ફીટની ઉંચાઈ પર તળાવમાં અરબોનો ખજાનો છે. પાણીમાં આ ખજાનો જોઈ શકાય છે. સુરક્ષાની વાત કરીએ તો આ માટે કોઈ પણ પ્રકારની સુરક્ષા રાખવામાં આવી નથી. કમરુનાગ પોતે જ આ ખજાનાની રખેવાળી કરે છે.
ખજાનો ચોરવાની કોશિશ કરનારાને મળે છે સજા
તળાવમાં પડેલા ખજાનાની સુરક્ષા કમરુનાગ દેવતા પોતે જ કરે છે. કહેવાય છે કે એક વાર એક માણસે તળાવમાંથી ખાવાનું ચોરવાનો પ્રયાસ કર્યો હતો તો તેણે જીવ ખોવવો પડ્યો હતો. આ સિવાય અન્ય એક ચોર આવ્યો તો તેને પણ પકડી લેવામાં આવ્યો હતો. ઘટના બાદ તેની આંખો કાયમ માટે ખરાબ થઈ ગઈ હતી. પૌરાણિક માન્યતા છે તે તળાવમાં પડેલો ખજાનો પાંડવોની સંપત્તિ છે. તેને કમરુનાગ દેવતાને સમર્પિત કરી દેવામાં આવી હતી.
અંગ્રેજ અધિકારીઓ પણ ખાલી હાથે આવ્યા પાછા
કહેવાય છે કે એકવાર મંડીમાં અંગ્રેજ અધિકારીએ વિચાર્યું કે તળાવમાં ફેંકવામાં આવેલા ખજાનાનો પ્રયોગ રાજ્યની જરૂરિયાત માટે કરવામાં આવે. આ માટે તળાવથી ખાવાનું કઢાવવા લાગ્યા. સ્થાનિક લોકોએ ના પાડી અને તેઓ જ્યારે કમરુનાગને માટે નીકળ્યા ત્યારે મુશળધાર વરસાદ થયો. અંગ્રેજ અધિકારી રસ્તામાં જ રોકાઈ ગયો. પોતાના નિવાસસ્થાને ફળ ખાધું અને તેની તબિયત બગડી. અધિકારી રસ્તામાંથી જ પાછા ફર્યા.
આ રીતે પડ્યું કમરુનાગ દેવતા નામ
પૌરાણિક માન્યતા અનુસાર મહાભારતનું યુદ્ધ જીત્યા બાદ પાંડવ રત્નયક્ષને એક પટારામાં લઈને હિમાલયની તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેઓ નળસર પહોંચ્યા. તેઓએ એક અવાજ સાંભળ્યો. તેને એકલતાવાળી જગ્યા પર લઈ જઈને નિવેદન કર્યું. ત્યારબાદ તેને કમરુઘાટી લઈ જવામાં આવ્યો. આ કારણે કમરુનાગ નામ પડ્યું.