કાશ્મીર જેને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે અને બે દેશોની વચ્ચે ઝઘડાનું કારણ પણ બનેલી છે. ઇતિહાસના પાના પર કાશ્મીરની કહાનીમાં ઘણા નવા વળાંક આવ્યા.
ક્યારેક મુસ્લિમ બહુલ આ રાજ્યમાં રાજા હરિ સિંહનું રાજ ચાલતું હતું. તે આ રાજ્યને પાકિસ્તાન અને ભારતથી અલગ દેશ બનાવવા ઇચ્છતા હતા. પરંતુ કોઇ પ્રકારે પરિસ્થિતિઓ બદલાઇ ગઇ અને એમને કાશ્મીરને ભારતના નામે કરી દીધું. ઇતિહાસના આ પાના પર નજર નાંખીએ.
જમ્મુ અને કાશ્મીર રાજ્ય 86,024 વર્ગ મીલના કુલ ક્ષેત્રફળમાં વસેલું છે. આ વર્ષ 1947માં વિભાજન બાદ પણ ભારત અને પાકિસ્તાનની વચ્ચે દુશ્મનીનું કારણ રહ્યું. આઝાદી પહેલા અહીંયાથી શાસક હિંદુ મહારાજા હરિ સિંહ હતા. મહારાજા હરિ સિંહે 15 ઓગસ્ટ, 1947 પહેલા સ્ટેન્ડ સ્ટિલ રહેવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતનો અર્થ હતો કે એ ભારત અથવા પાકિસ્તાન કોઇનો ભાગ બનશે નહીં, એ રાજ્યને એક સ્વતંત્ર દેશ જાહેર કરવાની યોજના બનાવી રહ્યા હતા. તો બીજી બાજુ પાકિસ્તાન કાશ્મીર પર દબાણ બનાવવા લાગ્યો હતો.
આઝાદીના એ વર્ષમાં લૉર્ડ માઉન્ટબેટન કાશ્મીર ગયા હતા. એમને રાજા હરિ સિંહને કહ્યું કે ભારત પાકિસ્તાન હવે અલગ થઇ ગયું છે. એ કોઇ એક દેશને પસંદ કરી લે, તેમ છતાં હરિ સિંહે એમાં હા પાડી નહીં, કહેવામાં આવે છે કે હરિ સિંહના વલણને માઉન્ટબેટન પણ અનુમાન લગાવ્યું હતું અને પાછા આવી ગયા હતા. બીજી તરફ ભારતના તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભ ભાઇ પટેલે માઉન્ટબેટને એટલે સુધી કહ્યું કે જો કાશ્મીર પાકિસ્તાન સાથે મળવા ઇચ્છે છે તો એમને કોઇ સમસ્યા નથી. તેમ છતાં મહારાજા હરિ સિંહ નિર્ણય લઇ શકતા નહતા અને તણાવ વધતો જતો હતો.
પાકિસ્તાને લાલચ પણ આપી
પાકિસ્તાને મહારાજા હરિ સિંહને પોતાનામાં મિક્સ કરાવવા માટે ઘણી લાલત આપી. પાકિસ્તાનના ઓફિસરોએ કાશ્મીરનો પ્રવાસ કર્યો અને ઇચ્છા પૂરી ના થવા પર નોર્થ વેસ્ટ ફ્રંટિયર પ્રોવિસન્સથી પાકિસ્તાને 22 ઓક્ટોબર 1947 વિદ્રોહ શરૂ કરી દીધો હતો. માત્ર પાંચ દિવસમાં પાકિસ્તાની સૈનિક શ્રીનગરની ખૂબ જ નજીક આવી ગયા. એ અહીંથી માત્ર 25 મીલ જ દૂર છે.
પાકિસ્તાનનું આ વલણ રાજા હરિ સિંહ માટે એકલા સંભાળવું મુશ્કેલ થઇ ગયું હતું. એ તત્કાલ પહેલા પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુને મળ્યા. વાતચીત કરીને એમને વિલય પત્ર પર સહી કરી દીધી. હરિસિંહે ભારત પાસેથી મદદ માંગી. આ રીતે ભારતીય સૈનિક કાશ્મીર પહોંચ્યો અને અહીંયા થઇ રહેલી કતલ રોકવામાં સફળ થઇ.
ત્યાંની સ્થિત પાકિસ્તાની સૈનિકોના પક્ષમાં વધારે હતી, તેમ છતાં ભારતીય સૈનિકોએ એમને લાંબા પ્રયાસ બાદ ત્યાંથી ઊખાડી ફેંકી દીધું. ત્યાં સુધી કાશ્મીરના મુઝફ્ફરાબાદને પાકિસ્તાને પચાવી લીધું, પરંતુ અહીંયાથી બંને રાષ્ટ્રોની વચ્ચે દુશ્મનીની દીવાલ અને મજબૂત થઇ ગઇ. જવાહર લાલ નહેરુએ સંયુક્ત રાષ્ટ્રમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો. બંને દેશની સેનાઓ હટાવવા માટે પણ કહેવામાં આવ્યું પરંતુ કોઇ પણ પાછળ હટ્યું નહીં.
પરંતુ એ દરમિયાન ભારતની કાશ્મીરમાં સ્થિત ખૂબ જ મજબૂત થઇ ગઇ હતી. સ્થાનિક નેતા અને લોકો પણ ભારતના પક્ષમાં હતા. કદાચ એની પાછળ પાકિસ્તાનની આર્થિક સ્થિતિને પણ કારણ જણાવી શકે છે. રાજા હરિ સિંહના નિર્ણયનું તમામે સ્વાગત કર્યું હતું.