મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાશિવરાત્રી પર શિવ દિવાળી ઉજવવામાં આવશે. આ સમયે શહેર 21 લાખ દિવાઓથી સજાવવામાં આવશે. આ શિવ દિવાળીને શિવ જ્યોતિ અર્પણમનું નામ આપવામાં આવ્યું છે જેમાં CM શિવરાજ પણ શામેલ થશે.
ઉજવવામાં આવશે શિવ દિવાળી
ઉજ્જૈનમાં કરવામાં આવશે ભવ્ય ઉત્સવ
શું તૂટશે આયોધ્યાનો રેકૉર્ડ?
દેવ દિવાળી બાજ હવે શિવ દિવાળી એક વખત ફરી ધાર્મિક નગરી ઉજ્જૈનને વિશ્વ પટલ પર ચમકાવવા જઈ રહી છે. મહાશિવરાત્રી પર્વ પર ઉજ્જૈનમાં 21 લાખ દિવા પ્રજ્વલિત કરીને શિવ દિવાળી ઉજવવામાં આવશે. આ મુખ્ય આયોજનમાં શામેલ થવા માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આવવાના છે.
શિવરાત્રી પર થયા હતા શિવ-પાર્વતીના વિવાહ
ધાર્મિક નગરી ઉજ્જૈનમાં મહાશિવરાત્રી પર્વ ખૂબ જ ઉત્સાહની સાથે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રી પર્વ પર ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા. મહાકાળેશ્વર મંદિર સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર કુમાસ પુરૂષોત્તમે જણાવ્યું કે ધાર્મિક નગરી ઉજ્જૈનમાં શિવ દિવાળી પર્વને લઈને વ્યાક રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
શિવ જ્યોતિ અર્પણમને લઈને ઉત્સામાં લોકો
ઉજ્જૈનમાં શિવ દિવાળીને લઈને ખૂબ જ ઉત્સાહ છે. આ દિવસે મહાકાલેશ્વર મંદિર, રામઘાટ, દત્ત અખાડા ઘાટ, નરસિંહ ઘાટ, સુનહરી ઘાટ, મંગળનાથ મંદિર, કાળ ભૈરવ મંદિર, 84 મહાદેવ અને ઉજ્જૈનને ઘરોમાં મોટા પાયે દીવા લગાવવામાં આવશે.
જિલ્લા પ્રશાસને ઉજ્જૈન જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓથી પણ 20 લાખ દીવા મંગાવવામાં આવ્યા છે. આ યોજનાને શિવ જ્યોતિ અર્પણમ નામ આપવામાં આવ્યું છે. આ યોજનામાં શામેલ થવા માટે મહાશિવરાત્રિ પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આવશે.
અયોધ્યાનો રેકોર્ડ તોડવાની તૈયારી
ઉજ્જૈન કલેક્ટર કુમાર પુરૂષોત્તમે જણાવ્યું કે આમ તો તેમની અયોધ્યા સાથે કોઈ પ્રતિસ્પર્ધા નથી. પરંતુ છેલ્લા વર્ષે ઉજ્જૈનમાં 11 લાખ 75 હજાર દિવા કરવામાં આવ્યા હતા. તેની તુલનામાં અયોધ્યામાં 15 લાખ 75 હજાર દિવા કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. આ વખતે મહાશિવરાત્રી પર ઉજ્જૈનમાં 21 લાખ દિવા લગાવવાનો લક્ષ્યાંક છે. આ લક્ષ્યમાં સફળતા મળતા જ ઉજ્જૈનનું નામ વિશ્વ રેકોર્ડમાં દાખલ કરવામાં આવશે.
કેટલો થશે ખર્ચ?
નગર નિગમ અધિકારી રૌશન સિંહે જણાવ્યું કે નગર નિગમના મતથી રકમ ખર્ત કરવામાં આવી રહી છે તેના ઉપરાંત મહાકાલેશ્વર મંદિર સમિતિની તરફથી પણ સહયોગ કરવામાં આવી રહ્યો છે. આ યોજના પર પરવાનગી અનુસાર લગભગ ચારથી પાંચ કરોડ રૂપિયાની રકમ ખર્ચ થઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આયોજનને લઈને અયોધ્યામાં 20 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી હતી. તેની તુલનામાં ઉજ્જૈનમાં ખૂબ ઓછી રકમ ખર્ચ કરવામાં આવી રહી છે.