મહેસાણામાં ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનને ઐતિહાસિક ભૂમિ દાન કરવામાં આવ્યું છે. ઉમિયા માતાજી સંસ્થાનને 253 વીઘા જમીનનું દાન મળ્યું છે. એક ગ્રુપ દ્વારા આટલા મોટા ભૂમિદાનનો પહેલો પ્રસંગનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ઉમિયા માતાજી સંસ્થાનને 253 વીઘા જમીનનું દાન
48 કડવા પાટીદાર સમાજ અમદાવાદ પ્રમુખ દ્વારા ભૂમિદાન
ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા દાતાઓનું કરાયુ સન્માન
ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનને શોભાસણ, ટેંચાવા, પિપળદર અને વિજાપુર નજીક જમીન દાનમાં મળી છે. આ જમીનનું દાન 48 કડવા પાટીદાર સમાજ, અમદાવાદ પ્રમુખ જે.એસ પટેલ અને તેમના વેવાઇ અને ભાગીદાર પૂર્વ મંત્રી અરવિંદ ત્રિભોવનદાસ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે.
એક ગ્રુપ દ્વારા આટલી મોટી જમીનના દાનનો આ પ્રથમ પ્રસંગ બન્યો છે. સંસ્થા જમીન અંગે યોગ્ય નિર્ણય બાદ આગળની કાર્યવાહી કરશે. જોકે આ દાતાઓનું ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.