સામાન્ય રીતે કેહવાય છે કે છોકરો અને છોકરી સાત ફેરી ફર્યા બાદ સાત જન્મના બંધનમાં બંધાઈ જાય છે અને જીવન ભર બન્ને એક બીજાના સુખ ધુખના ભાગીદાર બનવુ પડે છે, પરંતુ અહીયા કઈક અલગ જ કહાની સામે આવી છે. આ કહાની છે જામનગરમાં રહેતા 17 વર્ષીય હિરલ અને 22 વર્ષીય ચીરાગની આવો જાણીએ શુ છે આ પ્રેમ ભરી કહાની.
રીલ લાઈફ નહીં પણ રિયલ લાઈફનો કિસ્સો:
જામનગરના જીલ્લાના ડબાસણ ગામમાં રહેતી 18 વર્ષીય હિરલની સગાઈ 28 માર્ચના રોજ 22 વર્ષીય ચીરાગ ગજ્જર સાથે થઈ હતી અને ત્યાર બાદ હિરલના 18 વર્ષ પુરા થયા બાદ ઉનાળાના વેકશનમાં લગ્ન લેવાનુ નક્કી કર્યુ હતુ, પરંતુ ભગવાને હિરલ સાથે કઈ અલગ જ વિચાર્યુ હતુ. ગઈ 11 મે ના રોજ હિરલ તેના ઘરે કચરા પોતુ કરી ભીનુ પોતુ ઘરની બહાર સુકવવા જતી હતી તે સમય દરમ્યાન જીઈબીનો હાઈટેન્શન વાયર તુટી હીરલના હાથ પર પડ્યો હતો. ત્યારે અચાનક હીરલ પર આવેલી આફતના કારણે હીરલનો હાથ ત્યાંને ત્યાજ બળીને ખાખ થઈ ગયો હતો અને હિરલને પગના ભાગે પણ કરંટ લાગવાથી તે દાઝી ગઈ હતી.
જામનગરથી હિરલને લવાઇ અમદાવાદ:
હીરલની હાલત ગંભીર જોતા હીરલના પરીવાર જનોએ તેને જામનગરની જી.જી.હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. 3 થી 4 દિવસ સુધી જી.જી.હોસ્પીટલના ડોક્ટરોએ હિરલની સારવાર કરી, પરંતુ તેમનાથી હીરલની સારવાર આગળ થઈ શકે તેમ ન લાગતા તેમને હાથ અદ્ધર કરી દીધા હતા. ત્યારબાદ હીરલના પરીવાર જનોએ અને તેના મંગેતર ચિરાગે અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા.
સંવેદના છે પ્રેમની છે ભાષા:
હિરલની સારવાર દરમ્યાન સીવીલ હોસ્પીટલના ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યુ કે, હીરલના બન્ને પગે કરંટ લાગવાથી સડો વધી ગયો છે તેથી ધુંટણ સુધી તેના બન્ને પગ અને ખભા સુધી એક હાથ કાપવો પડશે. આ સાંભળીને હિરલના માતા પીતાના દિલમાં ધ્રાસકો પડ્યો. તેમની જવાન જ્યોત દિકરી બન્ને પગ અને હાથ કાપી નાખ્યા બાદ તેનુ શું થશે? કારણ કે બે મહીના પહેલા જ હિરલની સગાઈ થઈ હતી. પરંતુ ખાનદાની વંશનો દીકરો ચિરાગ હીરલના માતા-પિતાની આગળ આવી અને તે હીરલને નહી છોડે, જીવન ભર તેનો સાથ નીભાવશે તેવુ વચન આપ્યુ.
તારો સાથ છે તો મારે શું જોઈએ?
હીરલના પગ અને હાથ કાપ્યા બાદ 2 દિવસ સુધી હીરલ ભાનમાં જ ન હતી, હીરલ જેવી ભાનમાં આવી તેના મંગેતર ચીરાગે તેને હિમંત આપી અને કહ્યુ કે, જીવનભર તારો સાથ નિભાવીશ અને જીવનભર તારી સેવા ચાકરી કરીશ તેમ કહેતા હીરલમાં હિમત આવી. ત્યારે હિમંત હારી ગયેલા હીરલના માતા-પિતાને ચીરાગે કહ્યુ કે, જો આ જ અકસ્માત લગ્ન પછી મારા ઘરે થયો હોત તો શુ હીરલને તરછોડી નાખત? નહી હીરલને હુ જીવનભર સાચવીશ અને તેની સેવા ચાકરી કરીશ. હીરલ છેલ્લા એક મહીનાથી સીવીલ હોસ્પીટલમાં સારવાર લઈ રહી છે ત્યારે તેનો મંગેતર પણ છેલ્લા એક મહીનાથી તેની સાથે તેની સાળસંભાળ કરી રહ્યો છે. ચિરાગનું અમદાવાદમાં કોઈ રહેતુ ન હોવાથી તે હોસ્પીટલની સામે એક રુમ ભાડે લીધો છે અને ત્યા જ રહે છે. દીવસભર તે હીરલની સાથે જ રહે છે અને તેને ખવડાવાથી લઈને તમામ સેવા ચીરાગ કરે છે.
વિરલભાઈના કામને પણ સલામ:
ત્યારે અમદાવાદના ગરુકુળમાં રહેતા વિરલભાઈને જે એક સોસીયલ મીડીયા એક્ટીવિટ્ટી કરે છે તેમને સીવીલ હોસ્પીટલમાં જઈને હીરલ અને તેના પરીવાર જનોની મુલાકાત લીધી. હીરલના પરીવાર જનો આર્થીક રીતે સક્ષમ ન હોવાથી વીરલ ભાઈએ હીરલની હોસ્પીટલની દવાથી લઈને તમામ ખર્ચ ફી માં કરાવી આપ્યા અને વિરલભાઈએ જામનગર પોલીસને જી.ઈ.બી સામે ફરીયાદ પણ કરી, પરંતુ પોલીસે તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી. બીજી બાજુ વીરલભાઈ અને હિરલના પરિવાર જનોનનો આક્ષેપ છે કે એક મહીનો થઈ ગયો હોવા છતા સરાકાર દ્વારા કોઈ મદદ કરવામાં આવી નથી.