આજે આખો દિવસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર હિન્દુસ્તાન કી અંતિમ દુકાન છવાયેલી રહીં. જેનું કારણ છે આનંદ મહિન્દ્રા. તેઓ પોતાના ટ્વિટ્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે.
ટ્વિટર પર 'હિન્દુસ્તાનની અંતિમ દુકાન' છવાયેલી રહીં
આનંદ મહિન્દ્રાએ એક પોસ્ટને રિ-પોસ્ટ કરી
ભારતમાં સેલ્ફી લેવા માટેની સૌથી સારી જગ્યા
આનંદ મહિન્દ્રાએ પોસ્ટને રિટ્વિટ કરી
આ વખતે આનંદ મહિન્દ્રાએ હિન્દુસ્તાન કી અંતિમ દુકાન સાથે સંબંધિત એક પોસ્ટને રી-પોસ્ટ કરી અને જોતજોતામાં આ દુકાન વાયરલ થઇ ગઇ. આનંદ મહિન્દ્રાએ એક ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું, One of the best selfie spots in India? An unmatchable slogan: “Hindustan ki Antim Dukan.” A cup of tea there is priceless. ગુજરાતીમાં તેનો અર્થ છે, ભારતમાં સેલ્ફી લેવા માટેની સૌથી સારી જગ્યા? બેજોડ સ્લોગન: હિન્દુસ્તાન કી અંતિમ દુકાન. અહીં ચાનો એક કપ પીવો પણ મૂલ્યવાન હશે. hindustan-ki-antim-dukaan
One of the best selfie spots in India? An unmatchable slogan: “Hindustan ki Antim Dukan.” A cup of tea there is priceless. https://t.co/7dTxVlHwAG
મહત્વનું છે કે, બેટર ઈન્ડિયાએ એક દુકાનની સાથે મેગીની એક તસ્વીર શેર કરી હતી. આ દુકાનનું નામ છે હિન્દુસ્તાનની અંતિમ દુકાન. કારણકે આ દુકાન ભારત અને ચીનની વચ્ચે ભારતના અંતિમ ગામના છેડે સ્થિત છે. ત્યારબાદ કોઈ બીજી દુકાન નથી.
આ દુકાન એક સેલ્ફી પોઈન્ટ બની
આ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં છે. ગામનું નામ માણા છે. માણા ગામની આ દુકાન એક જાણીતી સેલ્ફી પોઈન્ટ બની ગઇ છે, કારણકે દરેક પ્રવાસી આ દુકાનના નામથી રોમાંચિત થાય છે અને અહીં ચા અને મેગીની સાથે સેલ્ફી જરૂર લે છે. મીડિયા રિપોર્ટસમાંથી મળેલી માહિતી મુજબ, આ દુકાન ચંદેર સિંહ બડવાલે 25 વર્ષ પહેલા ખોલી હતી. જણાવવામાં આવે છે કે આ માણા ગામનું જૂનુ ગામ મણિભદ્રપુરમ હતુ. એક માન્યતા છે કે પાંડવો આ ગામથી થઇ સ્વર્ગ તરફ ગયા હતા.