હિન્દુઓને એવા નેતાઓની જરૂર છે જે તેમની 100 ટકા સુરક્ષા કરી શકે: ડચ સાંસદ
ઉદયપુરમાં ટેલર કન્હૈયા લાલની હત્યા બાદ ભડક્યા ડચ સાંસદ
હિન્દુઓ ભારતમાં તો સુરક્ષિત હોવા જ જોઈએ: ગીર્ટ વિલ્ડર્સ
હિન્દુઓને એવા નેતાઓની જરૂર છે જે તેમની 100 ટકા સુરક્ષા કરી શકે
રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કન્હૈયા લાલની ઘાતકી હત્યાને લઈને સમગ્ર દેશમાં તણાવનો માહોલ છે. આ ઘટનાને લઈને લોકોમાં રોષ છે. આ બધાની વચ્ચે હવે પયગંબર મોહમ્મદ કેસમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માને સમર્થન કરનાર ડચ સાંસદે પણ નારાજગી વ્યક્ત કરી છે.
રાજસ્થાનના ઉદયપુરના ધનમંડી વિસ્તારમાં મંગળવારે બે લોકોએ વ્યવસાયે દરજી કન્હૈયા લાલની નિર્દયતાથી હત્યા કરી હતી. જેને લઈ હવે નેધરલેન્ડના દક્ષિણપંથી સાંસદ ગીર્ટે કહ્યું, ભારતમાં હિન્દુઓ સુરક્ષિત હોવા જોઈએ. આ તેમનો દેશ છે, તેમની માતૃભૂમિ છે, ભારત તેમનું છે. ભારત ઈસ્લામિક દેશ નથી.
Please India as a friend I tell you: stop being tolerant to the intolerant. Defend Hinduism against the extremists, terrorists and jihadists. Don’t appease Islam, for it will cost you dearly. Hindus deserve leaders that protect them for the full 100%!#HinduLivesMatters#India
ડચ સાંસદ ગીર્ટ વિલ્ડર્સે મંગળવારે ઉદયપુર હત્યાકાંડ અંગે ટ્વીટ કર્યું અને કહ્યું, "ભારતને મારી સલાહ છે કે તેણે અસહિષ્ણુ લોકો પ્રત્યે સહિષ્ણુ વર્તન કરવાનું બંધ કરવું જોઈએ." ભારત એક મિત્ર હોવાના નાતે હું તમને અસહિષ્ણુઓ પ્રત્યે સહિષ્ણુ બનવાનું બંધ કરવા કહું છું. હિંદુત્વને ઉગ્રવાદીઓ, આતંકવાદીઓ અને જેહાદીઓથી બચાવો. ઇસ્લામને ખુશ ન કરો, તે તમને મોંઘુ પડશે. હિન્દુઓને એવા નેતાઓની જરૂર છે જે તેમની 100 ટકા સુરક્ષા કરી શકે.
મળતી માહિતી મુજબ, ટેલર કન્હૈયા લાલના આઠ વર્ષના પુત્રએ પોતાના મોબાઈલથી નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આનાથી ગુસ્સે થઈને આરોપીએ તેના પિતાની ઘાતકી હત્યા કરી નાખી. કન્હૈયા લાલ સાહુની મંગળવારે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. રિયાઝ અને મોહમ્મદ ગૌસ નામના બે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
આરોપીઓએ વિડીયો પણ બનાવ્યો
આરોપી ઇસમોએ આ ઘટનાનો વીડિયો બનાવીને શેર પણ કર્યો હતો. વીડિયોમાં કહ્યું છે કે, ઈસ્લામના અપમાનનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
અગાઉ પણ નિવેદન આપ્યું હતું ડચ સાંસદે
ગીર્ટ અગાઉ પ્રોફેટ મોહમ્મદ કેસમાં નુપુર શર્માનો બચાવ કરી ચૂક્યો છે. તેમણે પયગંબર મોહમ્મદ કેસમાં ભારત પર ઈસ્લામિક દેશોના દબાણ અંગે કહ્યું હતું કે કોઈપણ દેશે આર્થિક કારણોસર પોતાની સ્વતંત્રતા ગુમાવવી જોઈએ નહીં.