અનેક વાર બાંગ્લાદેશી હિંદુ ઉત્પીડનનો શિકાર થતા રહ્યા છે
દુર્ગા પૂજાના પ્રસંગ પર પંડાલો અને મંદિરોમાં તોડફોડનો સામનો કરનારા બાંગ્લાદેશી હિંદુઓ માટે હિંસાની આ પહેલી ઘટના નથી. આની પહેલા પણ અનેક વાર બાંગ્લાદેશી હિંદુ ઉત્પીડનનો શિકાર થતા રહ્યા છે. એક રાઈટ્સ ગ્રુપ મુજબ ગત લગભગ 9 વર્ષોમાં બાંગ્લાદેશમાં હિંદુઓને 3, 721 ઘરો અને મંદિરોમાં તોડફોડ સહન કરવી પડી છે. ઢાકા ટ્રિબ્યૂને આઈનઓ સાલિશ કેન્દ્રના રિપોર્ટના હવાલાથી કહ્યું કે ગત 5 વર્ષોમાં 2021 સૌથી ખતરનાક રહ્યો છે. આ વર્ષે હિંદુ સમુદાયને બાંગ્લાદેશમાં મોટા પાયા પર હુમલો સહન કરવો પડ્યો છે. બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વો ગત કેટલાક વર્ષોમાં તેજીથી મજબૂત થયા છે.
આ વર્ષે અત્યાર સુધીમાં 16, 78 હુમલાનો સામનો કરવો પડ્યો
આ વર્ષે અત્યાર સુધીમાં હિંદુ સમુદાયના ઘરો અને મંદિરો પર 1678 હુમલાનો સામનો કરવો પડ્યો છે. હિંદુઓને પોતાનો ધર્મ પાળવા અને જીવનયાપન કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હિંદુઓના મંદિરોને નુકસાન પહોંચાડવાની અનેક ઘટનાઓ સામે આવી છે. હાલમાં જ નવમીના દિવસે કમિલા વિસ્તારમાં હિંદુ મંદિરો અને દુર્ગા પૂજાના પંડાલોમાં તોડફટ થઈ હતી. જેમાં 4 લોકોના મોત થયા હતા. તો 22 જિલ્લામાં તણાવને કારણે સેના તૈનાત કરવી પડી હતી.
2014માં હિંદુઓની વિરુદ્ધ મોટા પાયે હિંસા થઈ
ગત વર્ષોમાં બાંગ્લાદેશમાં 18 હિંદુ પરિવારોને હિંસાનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં રાઈટ્સ એક્ટિવિસ્ટ્સનું કહેવું છે કે અસલી આંકડો આના કરતા પણ વધારે થઈ શકે છે કેમ કે મીડિયા મોટી ઘટનાઓને કવર કરે છે. ગત 9 વર્ષોમાં સૌથી ખરાબ સ્થિત 2014માં રહી છે. જ્યારે અલ્પસંખ્યક સમુદાયના 1201 ઘરોમાં ઉપદ્રવિયોએ તોડફોડ કરી. આ વર્ષની વાત કરીએ તો અત્યાર સુધીમાં કટ્ટરપંથી તત્વોએ 196 ઘરો, ટ્રેડિંગ સેન્ટર્સ, મંદિરો અને મઠોએ નુકસાન પહોંચાડ્યું છે. એટલું જ નહીં દેવી દેવતાઓની મુર્તિઓ તોડી પાડી છે.