પાકિસ્તાનમાં હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ બાદ તેણીને બેરહેમીથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે આ મામલે ભારતે તીખી પ્રતિક્રિયા આપી છે.
પાકિસ્તાનમાં હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ
આરોપીઓએ મહિલાનું માથું કાપી ક્રૂર હત્યા કરી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આપી પ્રતિક્રિયા
પાકિસ્તાનમાં હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ મહિલાનું માથું કાપી ક્રૂર હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં ચામડી કાઢી મૃતદેહના અનેક ટુકડાઓ કરી ખેતરમાં ફેંકી દેવામાં આવ્યાનું સામે આવ્યું છે. પાકિસ્તાનમાં હિન્દુ મહિલાની થયેલ હત્યાને લઈને ભારતે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, અમે વારંવાર કહીએ છીએ કે પાકિસ્તાને લઘુમતીઓનું ધ્યાન રાખવું જોઈએ. તેમની સુરક્ષા પાકિસ્તાનની જવાબદારી છે. વધુમાં અમે એટલું જ કહીશું કે પાકિસ્તાને લઘુમતીઓનું રક્ષણ કરવું જોઈએ. તેમ કહ્યું હતું.
40 વર્ષની વિધવા મહિલાની નિર્દયતાથી હત્યા
આ ઘટના પાકિસ્તાનના સિંધ પ્રાંતની છે. મહિલાની હત્યા બાદ હિન્દુ સાંસદ કૃષ્ણા કુમારી ઘટનાસ્થળે પહોંચી લોકો સાથે વાતચીત કરી અને મદદની ખાતરી આપી હતી. કૃષ્ણા કુમારીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, 40 વર્ષની વિધવા મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. અને ખૂબ જ ખરાબ હાલતમાં લાશ મળી આવી હતી. તેનું માથું ધડથી અલગ કરવામાં આવ્યું હતું.
Daya Bhel 40 years widow brutally murdered and body was found in very bad condition. Her head was separated from the body and the savages had removed flesh of the whole head. Visited her village Police teams from Sinjhoro and Shahpurchakar also reached. pic.twitter.com/15bIb1NXhl
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓની હાલત ખરાબ છે. લઘુમતી મહિલાઓ પર બળજબરીથી ધર્મ પરિવર્તન અને અત્યાચારની ઘટનાઓ વારંવાર સામે આવે છે. ઇન્ટરનેશનલ ફોરમ ફોર રાઇટ્સ એન્ડ સોસાયટી અનુસાર પાકિસ્તાનમાં બળજબરીથી ધર્મ પરિવર્તન અને લગ્નના કેસમાં વધારો થયો છે. જેના કારણે હિન્દુ અને ખ્રિસ્તી પરિવારોમાંથી તેમની દીકરીઓને ઉઠાવી જવાનો ડર સતાવતો રહે છે.