આપણે ત્યાં વડીલોના મુખ હંમેશાં સાંભળતા આવીએ છીએ કે કોઇપણ કામ કરતાં પહેલા મોં ગળ્યું કરવું જોઇએ કોઇ ગળી વસ્તુ કે દહીં-ખાંડ ખાવા જોઇએ. આ પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવી છે. આજે પણ અનકે લોકો ઘરેથી નિકળતા પહેલા થોડું દહીં ખાઇ લે છે. હિન્દુ ધર્મમાં દહીંને પાંચ અમૃતમાંથી એક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો આપણું મન કોઈ દુઃખી કરનાર વાતમાં અટવાયેલું હોય અને આપણે દહીં ખાઈ લઈએ તો તરત જ મન પ્રસન્ન થઈ જાય છે.
આ પરંપરા સાથે જોડાયેલા બીજા ફાયદા વિશે....
એવી માન્યતા છે કે મન દુ:ખી હોય કે મન કામમાં લાગતું ન હોય તો કોઇ સફેદ વસ્તુ ખાઇને કામ કરવામાં આવે તો મનની એકાગ્રતા વધે છે.
ઘણા લોકો નિયમિત દહીં-ખાંડ ખાઇને કોઇપણ શુભ કાર્યની શરૂઆત કરે છે. સફેદ રંગની વસ્તુઓ ખાસ કરીને દહી સાકર ખાંડ પતાસા વગેરે ખાઇને શુભકામની શરૂઆત કરે છે.
બહાર નિકળતી વખતે દહીં ખાવાથી આપણા બધા નકારાત્મક વિચારો સમાપ્ત થઇ જાય છે અને આપણ અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
દહીમાં ખટાશ હોય છે અને ખાંડમાં મીઠાશ. દહીં-ખાંડના આ ખાટા-મીઠા સ્વાદથી આપણા મનમાં ચાલતા ખરાબ વિચારો તરત દૂર થઇ જાય છે.
ગળ્યું દહીં ખાવાથી શરીરમાં રક્ત સંચાર વધી જાય છે એનર્જી મળે છે. ગળ્યું દહીં ખાવાથી શરીરને સીધી એનર્જી મળે છે.
ગળ્યું દહીં ખાવાથી શરીરની પાચનશક્તિ સુધરે છે પેટની પરેશાનીઓ દૂર થાય છે અને આ કારણે પણ શુભ કાર્યો કરતા પહેલા દહીં-ખાંડ ખાવા જોઇએ.