પાકિસ્તાનના સિંધ પ્રાંતની રાજધાની કરાંચી સ્થિત જોગમાયા મંદિરમાં થયેલી તોડફોડ પર પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિયા કનેરિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. પોતાની લેગ સ્પિનથી પાકિસ્તાનને અનેક મેચ જીતાડનારા દાનિશ કનેરિયાએ ટ્વિટ કરી લખ્યું, કરાંચીની વચોવચ.
કરાંચી સ્થિત જોગમાયા મંદિરમાં તોડફોડનો મામલો
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિયા કનેરિયાએ આકરી પ્રતિક્રિયા આપી
ધાર્મિક આઝાદીની સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન શક્ય નથી
દાનિશ કનેરિયાએ વડાપ્રધાન ઈમરાન ખાનને કરી વિનંતી
ધાર્મિક આઝાદીની સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન શક્ય નથી. પાકિસ્તાનની બદનામી થઇ રહી છે. હું વડાપ્રધાન ઈમરાન ખાનને વિનંતી કરુ છુ કે તેઓ એક્શન લે. તેમણે આ વીડિયો ભારતીય એપ કૂ પર શેર કર્યો છે. દાનિશ કનેરિયાએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ટેગ કરીને ટ્વિટ કર્યુ છે. જોગમાયા મંદિર સિંધ પ્રાંત બાદ પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. આ કરાંચીના નારાયણપુરામાં પડે છે. નવરાત્રિ દરમ્યાન આ મંદિરની રોનક જોવાલાયક હોય છે. પરંતુ 20 ડિસેમ્બર 2021ની રાત્રે મંદિરમાં તોડફોડ કરવામાં આવી.
પાકિસ્તાનના મંદિર છેલ્લાં કેટલાય વર્ષોથી સતત કટ્ટરપંથીઓના નિશાને
પાકિસ્તાનનુ સિંધ પ્રાંત એક એવુ રાજ્ય છે. જ્યાં હિન્દુ સમુદાય સૌથી મોટી સંખ્યામાં રહે છે. કરાંચીના નારાયણપુરા વિસ્તારમાં હિન્દુઓ સિવાય સિખ અને કિશ્ચિયન પણ રહે છે. આ ક્ષેત્રમાં લગભગ છ મોટા મંદિર છે, જેમાંથી જોગમાયા મંદિર પણ છે. જોગમાયા મંદિર અહીંનું સૌથી જૂનુ મંદિર માનવામાં આવે છે. પાકિસ્તાનના મંદિર છેલ્લાં કેટલાય વર્ષોથી સતત કટ્ટરપંથીઓના નિશાના પર છે. જોગમાયા મંદિર પહેલાં ઓક્ટોબર 2021માં હનુમાન દેવી માતા મંદિરને પણ નિશાને લીધુ હતુ. તસ્કરોએ આ મંદિરમાંથી આભૂષણ અને હજારો રૂપિયા ચોરી કર્યા હતા. આ મંદિર સિંધમાં જ છે. ગયા મહિને કોટરી સ્થિત મંદિરમાં કેટલાંક લોકોએ ઘુસણખોરી કરી હતી અને મૂર્તિઓને ક્ષતિગ્રસ્ત કરી લાખો રૂપિયા રોકડા લઇને ફરાર થયા હતા.