પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓના એક ટોળાએ વધુ એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે, આ વખતે બચાવ કરનારા લોકો પડોશમાં રહેતા મુસ્લિમો જ હતા.
પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓના એક ટોળાએ વધુ એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું
સમગ્ર વિસ્તારમાં હજી પણ ભયનો માહોલ
પડોશમાં રહેતા મુસ્લિમો આવ્યા મદદે
નોંધનીય છે કે, આ વિસ્તારમાં અત્યાર સુધીમાં આવી અનેક ઘટનાઓ પહેલા પણ બની ચૂકી છે પરંતુ આ વખતે આ બનાવ સિંધ પ્રાંતની રાજધાની કરાંચીમાં બની છે. મંગળવારે થયેલા આ હુમલાની ઘટના બની હતી. આ વિસ્તારમાં 300થી વધુ હિન્દુ પરિવારો રહેતા હતા. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
સમગ્ર વિસ્તારમાં હજી પણ ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે, હિન્દુ સમુદાયના નિવાસીઓએ જણાવ્યું કે મંગળવારની રાતે 9 વાગે આ વિસ્તારની લી બજાર સ્થિત કંપાઉન્ડની બહાર રોષે ભરાયેલી ભીડ દ્વારા હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. આ ઘટનાના તાજના સાક્ષીએ કહ્યું કે, ભીડમાંથી કેટલાક લોકોને ઇરાદો હિન્દુ પરિવાર પર હુમલો કરવાનો હતો. વધુ એક રહેવાસીએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો મંદિર સુધી ધસી આવ્યા હતા અને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ વિસ્તારમાં હજી પણ ભયનો માહોલ છવાયેલો છે.
3 મુર્તિઓને ખંડિત કરી
નોંધનીય છે કે, આ પરિસરમાં રહેતા બહાદુર મુસ્લિમો દરવાજા સુધી પહોંચ્યા હતા અને ભીડને હિન્દુ પરિવારના ઘરમાં પ્રવેશતી અને હુમલો કરી અટકાવી હતી. હિન્દુ સમુદાયના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, અમારા મુસ્લિમ પડોશીઓએ બચાવી લીધા પરંતુ આ પહેલા એ તત્વોએ 3 મુર્તિઓને ખંડિત કરી હતી.
મુસ્લિમ પરિવારો ન હોત હિન્દુ પરિવાર પર થયો હોત હુમલો
એક પોલીસ અધિકારીએ પણ આ પુષ્ટિ કરી હતી કે તે વિસ્તારના મુસ્લિમ પરિવારોને કારણે જ ટોળાએ હિન્દુ સમુદાય પર હુમલો કરવામાં નિષ્ફળ ગયો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, "જો મુસ્લિમ પરિવારો બચાવ ન કર્યો હોત તો આ હુમલાને નિષ્ફળ બનાવવું ખૂબ મુશ્કેલ થઈ ગયું હોત." 60 થી વધુ હિન્દુ પરિવારો શહેરના અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં હિન્દુ સમુદાયમાં ભય છે. પોતાનું આખું જીવન આ કમ્પાઉન્ડમાં વિતાવનારા હિન્દુ સમુદાયના એક વડીલે કહ્યું કે આ પહેલા ક્યારેય આ પ્રકારનો હુમલો થયો નથી.