હિંદુ સંસ્કૃતિ અને મૂલ્યોનું જ્ઞાન, પરંપરાને સમાવી લેતો હિંદુ સ્ટડીઝ કોર્સ કરવામાં આવશે શરૂ, 60 સીટની કરવામાં આવી છે ફાળવણી
વડોદરાની MS યુનિવર્સિટીમાં નવો કોર્ષ શરૂ થશે
યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝનો ગ્રેજ્યુએશન કોર્ષ થશે શરૂ
BA અને MAમાં શરૂ થશે હિન્દુ સ્ટડીઝનો કોર્ષ
હિન્દુ સંસ્કૃતિનું મૂળજ્ઞાન અને મૂલ્યોને સ્પષ્ટ કરવા માટે હવે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં નવો કોર્ષ શરૂ થશે.જેનું નામ છે હિન્દુ સ્ટડીઝ ગ્રેજ્યુએશન કોર્સ. યુનિવર્સિટીની સિન્ડિકેટ દ્વારા BA અને MAમાં આ કોર્સ શરૂ કરવામાં આવશે. 3 વર્ષનો સ્નાતક કોર્સ છે જે નવા સત્રથી ભણાવવામાં આવશે. 60 બેઠકો સાથે કોર્ષને મંજૂરી આપવામાં આવી છે.
હિન્દુ સ્ટડીઝ કોર્સ શરૂ કરવાનો હેતુ
ભારત સરકાર દ્વારા વર્ષ 2019માં નવી શિક્ષણ નીતિ રજૂ કરવામાં આવી હતી. જે આવી વિસંગતતાઓને સુધારવા માટે મૂલ્યવર્ધિત અભ્યાસક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમાં ભારત કેન્દ્રિત જ્ઞાન પરંપરા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. જેના આ ધ્યેય મુજબ હિન્દુ સ્ટડીઝનો ભારતમાં સૌ પ્રથમ વાર સ્નાતક કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જેનો હેતુ હિન્દુ ધર્મ અને તેની આધ્યાત્મિક પરંપરાઓ પરના જ્ઞાનના સ્રોત પૂલને પુનઃપ્રાપ્ત કરવાનો છે. માસ્ટર પ્રોગ્રામ ઝડપથી બદલાતી તકનીકી અને વૈશ્વિક માહિતી સમાજમાં હિન્દુ અભ્યાસના મહત્ત્વને દર્શાવવા માટે તૈયાર કરાયો છે. બે વર્ષના આ કોર્સમાં ઇતિહાસ, અર્થશાસ્ત્ર, કાયદો, સમાજ, સંસ્કૃતિ, રાજકારણ, શિક્ષણ, કળા, નીતિશાસ્ત્ર, સાહિત્ય, નાટક, ભાષાશાસ્ત્ર, આયુર્વેદ અને યોગશાસ્ત્રનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે
કેવી રીતે મેળવી શકાશે એડમિશન
લાયકાત- કોઇપણ રાજ્ય અથવા કેન્દ્રીય બોર્ડનું ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમાણપત્ર એટલે કે ધોરણ 12 પાસ કરેલો કોઇ પણ વ્યક્તિ અરજી કરી શકે છે. મેરિટના આધારે પ્રવેશ મળશે.
ફી- ફોર્મ અને પ્રવેશની ફી 300 રૂપિયા, 14000 રૂપિયા પ્રતિ વર્ષ (કુલ 3 વર્ષનો સ્નાતક કોર્ષ)
સીટ- કુલ 60
કેવો હશે અભ્યાસક્રમ
પહેલા સેમેસ્ટરમાં હિંદુ તત્વ, હિંદુ દર્શન, યોગશાસ્ત્ર, સંસ્કૃત, અંગ્રેજી, હિંદી વિષયનો સમાવેશ થાયછે.
બીજા સેમેસ્ટરમાં પ્રમાણ સિદ્ધાંતનો પરિચય, પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત, પર્યાવરણ વિજ્ઞાન, ભારતીય બંધારણ, પોલિટિકલ સ્ટડીઝનો પરિચય, એડવાન્સ સંસ્કૃત તથા અંગ્રેજીનો સમાવેશ થાય છે.
ત્રીજા સેમેસ્ટરમાં વેદોનો પરિચય, ઉપનિષદોનો પરિચય, આધુનિક ભારત, આંતરરાષ્ટ્રીય સંબંધોનો પરિચય, ભારતન રાષ્ટ્રીય આંદોલન, હિંદુ મનોવિજ્ઞાન તથા ભગવદગીતાનો સમાવેશ થાય છે.
ચોથા સેમેસ્ટમાં રામાયણ-મહાભારતનો પરિચય, પુરાણ પરિચય, ભારતીય રાજકીય વિચાર, હિન્દુ ન્યાય વ્યવસ્થા, આયુર્વેદનો પરિચય, દક્ષિણ પૂર્વ એશિયામાં હિંદુ સંસ્કૃતિનો સમાવેશ થાયછે.
પાંચમાં સેમેસ્ટરમાં વાદ પરંપરાનો પરિચય, ધર્મશાસ્ત્રમાં આચાર, ભક્તિ ચળવળ, શૈવ,વૈષ્ણવ અને શક્તિ પરંપરાઓ, અર્થશાસ્ત્ર, બુદ્ધ, તેમજ જૈન પરંપરાનો પરિચય
સેમેસ્ટર છમાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો પરિચય, ભારતનું સાંસ્કૃતિક પ્રવાસન, નાટ્યશાસ્ત્રનો પરિચય, વાસ્તુશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, સ્થાપત્યનો પરિચય તથા બૃહત્તર ભારતમાં હિંદુઓ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે.