અમદાવાદ / કમલેશ તિવારીની હત્યા મામલે હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ જૈમિન દવેએ કરી સ્પષ્ટતા

કમલેશ તિવારીની હત્યા મામલે હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ જૈમિન દવેએ સ્પષ્ટતા કરી છે. જૈમિન દવેએ કહ્યું કે આરોપી અસફાકે રોહિત સોલંકી બની હિન્દુ સમાજ પાર્ટીનો સભ્ય બન્યો હતો. સભ્ય બનવા માટે તેણે રોહિત સોલંક નામનું આધારકાર્ડ મોકલ્યું હતું. અને આરોપી સુરતનો હતો એટલે અમે તેને પ્રચારકનો હોદ્દો આપ્યો હતો. જૈમિન દવેએ કહ્યું કે કમલેશ તિવારીને અસફાકને લઇ કોઇ શંકા ન થઇ તો મને કેવી રીતે થઇ શકે. આમા અમારી કોઇ ભૂલ નથી.

બ્રેકિંગ ન્યૂઝ