ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે.
સમગ્ર રાજ્યમાં કિશન ભરવાડ હત્યા કાંડના પડઘા
હિન્દુ સંગઠનોમાં જોવા મળ્યો રોષ
આરોપીને ફાંસીની સજા આપવા કરાઈ માગ
સમગ્ર રાજ્યના હિન્દુ સંગઠનો આરોપીને કડકમાં સજા સજા કરવાની માગ કરી રહ્યા છે. આ તમામ વચ્ચે આજે અમદાવાદ, સુરત અને ગીર સોમનાથમાં આવેદનપત્ર પાઠવી આરોપીને સજા આપવાની માગ કરવામાં આવી છે.
આરોપીને ફાંસીની માગ કરી
ગીર સોમનાથમાં કોડીનારના સોમનાથ મંદિરે હિન્દુ યુવા સંગઠનોના સેંકડો કાર્યકરો એકઠા થયા હતા. જે બાદ હિન્દુ યુવા અગ્રણીઓએ મૌનરેલી યોજીને કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવી આરોપીની કડકમાં કડક સજાની માગ કરી છે, જ્યારે સુરત ગ્રામ્યમાં માલધારી સમાજ અને હિન્દુ સંગઠનોએ બાઇક રેલી તથા મૌન રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આરોપીને કડક સજા આપવા માગ કરી છે.
આવી જ રીતે અમદાવાદના VHP, બજરંગ દળ, ભગવા સેના અને શ્રીરામ જન્મભૂમિ નિર્માણ સેનાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીને ફાંસીની માગ કરી છે. ઉપરાંત ધંધુકામાં કિશન ભરવાડનું સ્ટેચ્યૂ બનાવવાની પણ માગ કરી છે.
ન્યાયની માગ સાથે વિરોધ
વડોદરામાં હિંદુ સંગઠનોએ ભરવાડ સમાજના લોકોને સાથે રાખી કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યુ હતુ. તો આણંદના તારાપુરમાં વિવિધ હિંદુસંગઠનો સાથે જોડાયેલ લોકો હત્યાના વિરોધમાં માર્કેટયાર્ડમાં એકત્રિત થયા હતા. જ્યાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું.આ સાથે હિન્દુ સંગઠનોએ 30 જાન્યુઆરીએ તારાપુર બંધનુ પણ એલાન આપ્યુ છે.. તો આ તરફ જુનાગઢમાં પણ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને કરાયેલી રજૂઆતમાં આરોપીઓને ફાંસીની સજાની માંગ કરાઈ હતી અને જો ન્યાય નહી મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ સુરેન્દ્રનગરના લિંબડીમાં પણ કિશન ભરવાડની હત્યાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા.. લીંબડીમાં હિન્દુ સંગઠન દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ પરિણામે લીંબડીના બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા. બંધના એલાનને પગલે લીંબડીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આરોપીઓના રિમાન્ડ કરાયા મંજૂર
અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા(રહે.મલવતવાડા, ધંધુકા)અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણ(રહે. કોઠીફળી,ધંધુકા)ની, તેમજ મુખ્ય સૂત્રધાર મૌલવીની પણ ધરપકડ કરવામાં આવી છે. બાદમાં આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં જ્યાં કોર્ટે શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.જ્યારે હથિયાર આપનાર મૌલવીની પણ કરાઈ ધરપકડ કરાઈ છે.
હત્યાનો પ્લાન બનાવ્યો હતો જમાલપુર મસ્જિદમાં
મૌલવી ઐયુબની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. જાણવા મળ્યુ છે કે કિશન ભરવાડની હત્યાનો પ્લાન જમાલપુર મસ્જિદમાં જ બનાવવામાં આવ્યો હતો. શબ્બીર અને મૌલવી ઐયુબ હત્યા બાબતે રોજે મસ્જિદમાં ચર્ચા કરતા હતા. શબ્બીરે મૃતક કિશન ભરવાડની પાંચ દિવસ રેકી કરી હતી. મૌલવી ઐયુબ પોતાની પાસે જ રાખતો હતો. જો કે પિસ્તોલ કોની પાસેથી લીધી તે અંગે હાલમાં પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું
પોલીસ પુછપરછમાં દરમિયાન મૌલાનાનું કનેકશન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે. મૌલાના સોશિયલ મીડિયાથી યુવકોને પ્રેરિત કરતો હતો.મૌલાના કટ્ટરવાદી સ્પીચ આપીને યુવકોને ભડકાવતો હતો.જેને લઈને પોલીસે કટ્ટરવાદી સંગઠન અંગે પણ તપાસ કરી છે.
શું હતો સમગ્ર મામલો
ધંધુકા ફાયરિંગ કરી હત્યા મામલે વિરેન્દ્રસિંહ યાદવ,SP અમદાવાદ ગ્રામ્ય પ્રેસ કોન્ફરન્સ કરી કેસની તમામ વિગત અને તપાસ પર પ્રકાશ પાડયો હતો. SPના જણાવ્યા અનુસાર મૃતક કિશન ભરવાડે 20 દિવસ પહેલા વિવાદિત ધાર્મિક પોસ્ટ કરી હતી જેને લઈ વિરોધ થતા ફરિયાદ દાખલ થઈ હતી. જે બાદ પોલીસે કાર્યવાહી પણ કરી હતી.અંતે સમાધાન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસની કાર્યવાહીથી આરોપીઓને સંતોષ ન હતો અને તે કિશનને સબક શીખવાડવા માંગતા હતા. જેથી તેમણે કિશનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. મોકો મળતાની સાથે જ 2 આરોપીઓ ફેશન બાઈક પર સવાર થઈ બંદૂક લઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં કિશનને એકલો જોઈ શબ્બીર નામના યુવકે ફાયરિંગ કર્યું હતું. બાઈકમાં 2 શખ્સો આવ્યા હતા.જે શબ્બીર અને ઈમ્તિઆઝ નામે હતા. બાઈક ઈમ્તિઆઝ ચલાવતો હતો અને શબ્બીરે ફાયરિંગ કર્યું હતું.