ગુજરાતમાં કોડિનારના દરિયાકિનારે આવેલું સોડવ માતાનું મંદિર કોમી એખલાસનું અને ભાઈ-બહેનના અનોખા પ્રતિક સમુ છે. આવો જાણીએ મંદિર વિશે અને તેની વિશેષતા વિશે.
મંદિર મુસ્લિમોના દિલમાં અને દરગાહ હિંદુઓના દિલમાં સ્થાન ધરાવે છે
મુસ્લિમો અહીં સોડવા માતાને શ્રીફળ અને ચુંદડી ધરે છે
જ્યારે હિંદુ દરગાહ પર ચુરમાનો પ્રસાદ ધરે છે
ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાના કોડિનારના દરિયા કિનારે આવેલ સોડવ માતાનું મંદિર અને મુસ્લિમ સંત જાનશા પીરની દરગાહ એક એવી જગ્યા છે જ્યાં ધર્મ, નાત-જાતના તમામ વાડા તૂટી જાય છે અને વહે છે તો ફક્ત એક શુદ્ધ પ્રેમ. મુસ્લિમ ભાઈ અને હિંદુ બહેન વચ્ચેનો શુદ્ધ અને અદ્વિતિય પ્રેમ.
મુસ્લિમો અહીં સોડવા માતાને શ્રીફળ અને ચુંદડી ધરે છે જ્યારે હિંદુ દરગાહ પર ચુરમાનો પ્રસાદ ધરે છે
આ જગ્યાનો ઇતિહાસ અને ભાઈ-બહેનના પ્રેમની અદ્વિતિયતા છે. જ્યારથી આ બે ધર્મ સ્થાનો બનાવવામાં આવ્યા છે ત્યારથી એવી શ્રદ્ધા છે કે કોઈપણ ઇચ્છા પૂરી થયા બાદ કે ધાર્મિક યાત્રાનું ફળ મેળવવા માટે મુસ્લિમો અહીં સોડવા માતાને શ્રીફળ અને ચુંદડી ધરે છે જ્યારે હિંદુ દરગાહ પર ચુરમાનો પ્રસાદ ધરે છે.
મંદિર મુસ્લિમોના દિલમાં અને દરગાહ હિંદુઓના દિલમાં સ્થાન ધરાવે છે.
મુસ્લિમો કરતા દરગાહમાં વધુ હિંદુ લોકો આવે છે. જ્યારે જ્યારે કોમવાદ અને ધાર્મિક વિભાવના સમાજમાં આવે છે ત્યારે આ બંને સ્થાન જખમો પર મલમનું કામ કરે છે. લોકો વચ્ચે ભાઈચારો લાવે છે. ભક્તો ધર્મસ્થાનોમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. અહીં લોકોના જીવનમાં આ મંદિરની વાયકા અને શ્રદ્ધા એવી વણાઈ ગઈ છે કે મંદિર મુસ્લિમોના દિલમાં અને દરગાહ હિંદુઓના દિલમાં સ્થાન ધરાવે છે.
શું છે વાયકા?
આ જગ્યાના ઇતિહાસ પર નજર નાખીએ તો અહીં સાભળવા મળ્યા મુજબ ઘણા વર્ષો પહેલા એક મુસ્લિમ સંત જાનાશા અહીં આવીને દરિયા કિનારા નજીક રહેવા લાગ્યા હતા. એકલા રહેતા ગરીબ સંત પર એક યુવાન આહિર કન્યાને દયા ઉપજી અને તે તેમના માટે રોજ ખાવાનું લઈ આવતી હતી. દરરોજ આ કન્યાના હાથના ગરમ ખીચડી, બાજરાનો રોટલો અને દૂધ ખાઈને જાનાશાને તેમના પ્રત્યે લાગણી આવી અને એકવાર તેમણે સોડવને કહ્યું આજથી હું તમને મારી નાની બહેન માનું છું. જાનાશા દ્વારા વચનથી બહેન માન્યા બાદ સોડવે પણ રક્ષાબંધનના દિવસે તેમને રાખડી બાંધીને આ પવિત્ર બંધનને એક મજૂબત સંબંધનું નામ આપ્યું. આ ભાઈ-બહેનના પ્રેમની વાત ગામમાં પ્રસરી અને બંને આંતરધર્મીય શુદ્ધ પ્રેમ અને સૌહાર્દના પ્રતિક બની ગયા. ત્યારબાદ બંનેના મોત પછી જાનાશાના અનુયાયીઓ અને આહીર સમાજ દ્વારા અહીં દરગાહ અને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. જેથી ભાાઈ જાનાશા અને બહેન સોડવના અદ્વિતિય શુદ્ધ પ્રેમની યાદ આવનારી પેઢીને પણ પ્રેમ અને સૌહાર્દનો પાઠ શીખવે.