હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા બાદ ઉત્તરપ્રદેશના નોઈડામાં અમિત જાનીને જાનથી મારીનાખવાની ધમકી મળી છે. અમિત જાની ઉત્તરપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની મૂર્તિ તોડીને ચર્ચામાં આવ્યા હતા. ધમકી ભરેલા પત્રમાં લખ્યું છે કે, હવે કમલેશ તિવારી બાદ તારો નંબર છે. અમિત જાનીના ઘર પર એક મહિલા પત્ર આપી ગઇ. સૂચના મળતા જ પોલીસ અમિત જાનીના ઘરે પહોંચી.
બુરખામાં હતી ધમકી ભર્યો પત્ર આપનાર મહિલા
પોલીસે ફરિયાદ દાખલ કરી, તપાસ શરૂ
ગાર્ડનો પકડાવ્યો ધમકી ભર્યો પત્ર
મળતી માહિતી અનુસાર, નોઈડામાં હિન્દુ નેતાને ધમકી ભર્યો પત્ર મળ્યો છે જે સમગ્ર રીતે ભડકાઉ છે અને જેમાં સ્પષ્ટ લખ્યું છે- કમલેશ તિવારી બાદ નોઇડામાં તમારો નંબર છે. બકૌલ અમિત જાની નોઇડા સ્થિત તેમના કૉર્પોરેટ હાઉસ પર ઑટોમાં સવાર એક બુરખા મહિલા આવે છે જે મેન ગેટ પર હાજર ગાર્ડ અભયરામને પત્ર આપે છે જે અમિત જાનીને આપવાની વાત કરે છે.
અભયરામે જણાવ્યું કે, મહિલા બુરખાધારી હતી, આ ધમકી ભર્યા પત્ર પર સરનામું નહોતું લખેલું. ગાર્ડે તે પત્ર અમિત જાનીને આપ્યો. જ્યારે તેમણે પત્ર વાંચ્યો તેમાં તેમને ધમકીની વાત સામે આવી.
પોલીસે કેસ દાખલ કર્યો
તાત્કાલિક અમિત જાનીએ ગાર્ડ દ્વારા આપેલ પત્રને વાંચ્યા બાદ તેમણે 100 નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી લીધી. સેક્ટર 20 પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે ધમકી ભરેલા પત્ર અને પરબિડીયું પોતાના કબજે કર્યું અને તપાસ હાથ ધરી. ત્યારે પોલીસે અમિત જાનીને સતર્ક રહેવા માટે કહ્યું છે. અમિત જાનીએ આને લઇને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ પણ કરી દીધી છે.
નોઈડા એસપી સીટી વિનીત જાયસવાલે કહ્યું કે, લેટર વેરિફાઇ કર્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ તમામ વચ્ચે પોલીસને જાણ થઇ છે કે તે ઑટો દિલ્હીના રજિસ્ટ્રેશન વાળો છે.