વડોદરાના સાવલીની ઘટનાના બે દિવસ બાદ ઘેરા પ્રત્યાઘાત પડતા હોય તેમ હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ પોલીસ મથકને ઘેર્યુ હતું અને 200થી વધુ કાર્યકર્તાઓએ એકઠા થઈને કર્યો ઘેરાવ.
સાવલીમાં પોલીસ મથકની બાદ રામધૂન
બે દિવસ પહેલાની ઘટનાનો કરાયો વિરોધ
પોલીસની કાર્યવાહીથી હિંદુ સંગઠનનો વિરોધ
ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામો બાદ અનેક વિસ્તારોમાંથી ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરાના સાવલીમાં પણ ચૂંટણી પરિણામો બાદ ઘર્ષણની ઘટના સામે આવી હતી ઘટનાના બે દિવસ બાદ ઘેરા પ્રત્યાઘાત પડતા હોય તેમ હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ પોલીસ મથકને ઘેર્યુ હતું અને 200થી વધુ કાર્યકર્તાઓએ એકઠા થઈને કર્યો ઘેરાવ કર્યો હતો.
કાર્યકર્તાઓ એ પોલીસ મથક બહાર રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો,અને પોલીસની કાર્યવાહી સામે હિંદુ સંગઠનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોચ્યા હતા . આ ઘટનામાં અથડામણમાં સંડોવાયેલા આરોપીઓને પોલીસ કોર્ટમાં રજુ કરી ચૂકી છે. કાર્યકર્ત્તાઓએ પોલીસની કાર્યવાહી યોગ્ય ન હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
બે-ત્રણ દિવસ પહેલા શું બન્યું હતું
બે-ત્રણ દિવસ પહેલા વડોદરાના સાવલી ગામે બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારાની ઘટના બની છે. પોલીસને ઘટનાની જાણ થતાં તુરત જ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે મોડી રાત્રે ફરિયાદ નોંધી તોફાની તત્વોનો શોધવા કવાયત હાથ ધરી છે. સાવલીમાં અથડામણ બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો