પાકિસ્તાનના એક હિંદુ સમુદાયમાંથી આવનારા એક મંત્રીએ ખૈબર પખ્તુનવા વિધાનસભામાં શુક્રવારે કહ્યું કે ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિરના નિર્માણ માટે લઘુમતી સમુદાયનું સ્વાગત કરશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરકારે આ કૃષ્ણ મંદિરના નિર્માણ માટે 10 કરોડની રકમની મંજૂરી પહેલાથી જ આપી દીધી છે.
પાકિસ્તાન સરકારના એચ-9 એડમિનિસ્ટ્રેશન ડિવિઝનને પહેલી વખત કોઇ હિંદુ મંદિરના નિર્માણ માટે 20,000 સ્કેવર ફુટ જમીનનું આપી હોય. ઇસ્લામાબાદમાં બનનારું આ પહેલું હિંદુમંદિર હશે.
પાકિસ્તાનમાં લઘુમતિઓને બરાબરીનો દરજ્જો
ખૈબર પખ્તુનવા વિધાનસભામાં બોલતા MPA રવિ કુમારે કહ્યું કે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયને બરાબરીનો કાનુની દરજ્જો છે અને તેઓ શાંતિપૂર્ણ રીતે પરસ્પરતાના ભાવ સાથે અહીંની બહુસંખ્યક જનજાતિ સાથે રહે છે. રવિ કુમારે કહ્યું કે અમે સરકારના આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ કે અહીં નિર્માણ પાકિસ્તાનના કાયદા અને બંધારણ મુજબ થશે.
રવિ કુમારે કહ્યું કે એવા લોકો વિરુદ્ધ ફરજિયાત રીતે કાર્યવાહી થશે જે મુસ્લિમ અને હિંદુઓ વચ્ચે વૈમનસ્ય ઉભુ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. રવિ કુમારે કહ્યું કે વિધાનસભામાં કૃષ્ણ મંદિરના નિર્માણને લઇને હિંદુ દેવી-દેવતાઓ સામે સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા ભદ્દી અને એશોભનીય ટીપ્પણી સામે પ્રસ્તાવ રજૂ કર્યો છે અને આવી ગતિવિધીઓની કડક નિંદા પણ કરવામાં આવી છે.