અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા ઉત્સવ ઉજવાયો હતો. આ દરમિયાન શ્રીસ્વામિનારાયણ ભગવાનને સંતો - ભક્તો વિવિધ હિંડોળામાં બિરાજમાન કરી દર્શન કરતાં કરતાં ઝુલાવે અને પાવન બને છે. આ ઉત્સવમાં સંતો-ભક્તો પોતાના મનના સંકલ્પો પ્રમાણે ભગવાનને હિંડોળામાં બેસાડીને ઝુલાવીને ભક્તિ કરે છે.