બોલિવુડ સ્ટાર આમિર ખાન અને કિરણ રાવે હાલમાં જ પોતાના તલાકની જાહેરાત કરી છે.
આમિર ખાને પત્ની કિરણ રાવ સાથે ડિવોર્સની જાહેરાત કરી
હિના ખાને બન્નેના ડિવોર્સ અંગે આપ્યું નિવેદન
ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને કહી આ વાત
બોલિવુડના સુપરસ્ટાર આમિર ખાને શનિવારે પોતાની પત્ની કિરણ રાવ સાથે તલાક લેવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે હવે અમારો સંબંધ બદલાઈ ગયો છે પરંતુ અમે એક ફેમિલી છીએ. બન્નેના ડિવોર્સની ખબરે હડકંપ મચાવી દીધો છે. ત્યાં જ ટીવી સ્ટાર પણ આ ખરબરોને સાંભળીને દંગ રહી ગયા છે. તેને જ લઈને એક્ટ્રેસ હિના ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એન્કાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં આમિર ખાનના તલાક પર વાત કરતા તેણે જણાવ્યું કે આ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે.
આમિર ખાનના ડિવોર્સ પર હિનાએ શેર કરી પોસ્ટ
હિના ખાને બન્નેના ડિવોર્સ પર દુઃખ વ્યક્ત કરતા તૂટેલા દિલની સાથે એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં હિનાએ લખ્યું કે હું બન્નેનું સન્માન કરૂ છું. પરંતુ સૌથી સારૂ બનવા માટે ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે. હું તમને બન્નેને ઓલ ધ બેસ્ટ કહેવા માંગુ છું. ત્યાં તેણે એવું પણ લખ્યું કે જ્યારે ડ્રામા ખતમ થઈ જાય છે ત્યારે મેચ્યોરિટી શરૂ થાય છે.
આ ઉપરાંત હિના ખાને એક પોસ્ટમાં લખ્યું કે, "એક માસુમ બાળકો પોતાના માતા પિતાના અલગ નિર્ણય અને વિકલ્પોનો ભાર સહન કરવા માટે નથી બન્યા."
શનિવારે કરી હતી ડિવોર્સ લેવાની જાહેરાત
તમને જણાવી દઇએ કે, આમિર ખાન અને કિરણ રાવના લગ્ન વર્ષ 2005માં થયા હતા. તેમના લગ્નના 15 વર્ષ બાદ તેમણે અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમને એક દીકરો આઝાદ છે જેની ઉંમર 9 વર્ષ છે. 3 જૂનના રોજ એક જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેરી કરી તેમણે છૂટાછેડાની જાહેરાત કરી હતી.