હિના ખાનનુ બોયફ્રેન્ડ રૉકી જયસ્વાલ સાથે કોઈ બ્રેકઅપ થયુ નથી. હિના અને રૉકી આજે પણ સાથે છે. હિના ખાને આ બધુ તેના નવા પ્રોજેક્ટને પ્રમોટ કરવા માટે કર્યુ હતુ. તેમની નવી સીરીઝ આવી રહી છે, જેનુ ટીઝર રીલીઝ થયુ છે. સીરીઝનુ નામ છે ષડયંત્ર, જેમાં ઘણા રાજ બેનકાબ થશે. વિશ્વાસઘાતનુ સત્ય સામે આવશે.
હિના ખાનને તેના બોયફ્રેન્ડે દગો આપ્યો નથી
હિના ખાને આ બધુ તેના નવા પ્રોજેક્ટને પ્રમોટ કરવા કર્યુ
સીરીઝનુ નામ છે ષડયંત્ર, જેમાં ઘણા રાજ બેનકાબ થશે
નથી થયુ હિનાનુ બ્રેકઅપ
સીરીઝનુ નામ છે ષડયંત્ર, જેમાં ઘણા રાજ બેનકાબ થશે. વિશ્વાસઘાતનુ સત્ય સામે આવશે. ટીઝરને હિના ખાન સિવાય તેમના બોયફ્રેન્ડે પણ શેર કર્યુ છે. આ સીરીઝમાં હિના અસત્ય અને કપટના જાળમાં ફસાયેલી છે. આખરે આ ષડયંત્રને કોણે રચ્યુ છે, તેનો ખુલાસો સીરીઝમાં થશે.
હિના સાથે કોણે વિશ્વાસઘાત કર્યો ?
આ મર્ડર મિસ્ટ્રીને પ્રમોટ કરવા માટે હિનાએ ક્રિપ્ટિક પોસ્ટ લખી હતી. સીરીઝમાં હિના ખાનની સાથે કુણાલ રૉય કપૂર, ચંદન રૉય સાન્યાલ દેખાશે. આ ટીઝરને ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરતા હિનાએ લખ્યું છે, દગો જ એકમાત્ર સત્ય છે, જે ટકેલો રહે છે. આ એ જ લાઈન છે, જે હિનાએ ગત રાત્રે ઈન્સ્ટા સ્ટોરી પર લખી હતી. આ પોસ્ટને વાંચીને પ્રશંસકોએ તેના અને રૉકીના બ્રેકઅપની અટકળો લગાવી હતી.
બીજી પોસ્ટમાં હિનાએ રિલેશનશિપ પર લખ્યું હતુ, જેણે તમને દગો આપ્યો તેના પર ક્યારેય આંધળો વિશ્વાસ કરવા માટે પોતાની જાતને માફ ના કરતા. ક્યારેક-ક્યારેક એક સારું દિલ ખોટી વસ્તુઓને જોતુ નથી. હિનાની આ પોસ્ટ જોઇને પ્રશંસકો પરેશાન થયા હતા અને હિના માટે ચિંતિત થતા હતા. પરંતુ હવે હિનાએ સસ્પેન્સ રિવીલ કરી દીધુ છે. બ્રેકઅપના સમાચારમાં કોઈ હકીકત નથી. હિના ખાન અને રૉકી હેપ્પી કપલ છે.