હિંમતનગર પાલિકાએ નોનવેજનું વેચાણ કરતી છાપરીયા અને મોતીપુરા વિસ્તારની દુકાન ઉપર તવાઈ બોલાવી છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આદેશ બાદ કાર્યવાહીનો ધમધમાટ
હિંમતનગરમાં નોનવેજનું વેચાણ કરતી દુકાન ઉપર તવાઈ
નગરપાલિકાએ નોનવેજનું વેચાણ કરતી 7 દુકાન સીલ કરી
છાપરીયા અને મોતીપુરા વિસ્તારમાં કાર્યવાહી
સાબરકાંઠામાં હિંમતનગર નગરપાલિકા નોનવેજના વેચાણને લઈ એક્શનમાં આવી છે. પાલિકાએ શહેરની સાત દુકાનો સીલ કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આદેશ બાદ નગરપાલિકાએ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે.
બે દિવસ અગાઉ પાલિકાએ આપી હતી નોટિસ
સાબરકાંઠામાં હિંમતનગર નગરપાલિકાએ છાપરીયા વિસ્તારની નોનવેજની સાત દુકાનો સીલ કરી છે. મોતીપુરા વિસ્તારમાં ધાકડ નામની હોટલ પણ સીલ કરાઈ છે, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે આપેલા લિસ્ટ પ્રમાણે પાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથધરી છે. પાલિકાએ બે દિવસ અગાઉ તમામ દુકાનોને નોટિસ આપી હતી જે બાદ કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ વિભાગના આદેશ બાદ દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરાઈ છે.
હિંમતનગરમાં કુલ 39 દુકાન સીલ કરવાની કાર્યવાહી કરાશે
હાઇકોર્ટના આદેશના પગલે હિંમતનગ પાલિકા ઝુંબેશ હાથ ધરી છે. બે દિવસ પહેલા પાલિકાએ ફૂડ વિભાગના લિસ્ટ પ્રમાણે નોટિસ પાઠવી હતી જે બાદ સિલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તમને જણાવી દઈએ કે, હિંમતનગરમાં કુલ 39 દુકાન સીલ કરવાની કાર્યવાહી આગામી બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે તેવી પણ વિગતો છે. પોલીસ ડિવિઝન વાઈઝ બે દિવસમાં સિલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. જેમાં હિંમતનગર એ ડિવિઝન, બી ડિવિઝન, ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં આગામી બે દિવસમાં દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.