ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે ત્યારે કોરોનાની સ્ફોટક ઘટના સામે આવી છે.
સરકારી હોસ્પિટલ જ કરી રહી છે સરકારી ગાઇડ લાઇનનો ભંગ
હિંમતનગર સિવિલનુ વહીવટ તંત્ર ક્યારે થશે ઉજાગર
હોસ્પિટલની બેદરકારી નિર્દોષ લોકોનો લેશે જીવ ?
ગાર્ડનમાં રોજના અસંખ્ય લોકો કરે છે અવરજવર
હિંમતનગર સિવિલની બેદરકારી સામે આવી છે. બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ સિવિલના ગાર્ડનમા જ કરાયો છે. ગાર્ડનમાં બોટલ,ઈન્જેકશન,હેન્ડ ગ્લોઝ ગાર્ડનમાં નંખાયા છે. સરકારી ગાઈડ લાઈન મુજબ યોગ્ય નિકાલ થવો જરૂરી છે પણ સરકારી હોસ્પિટલ જ સરકારી ગાઇડ લાઇનનો ભંગ કરી રહી છે. ગાર્ડનમાં રોજના અસંખ્ય લોકો કરે છે અવરજવર કરે છે. હિંમતનગર સિવિલનુ વહીવટ તંત્ર ક્યારે ઉજાગર થશે? હોસ્પિટલની બેદરકારી નિર્દોષ લોકોનો લેશે જીવ ? જેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1401 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,90,821 પર પહોંચ્યો છે. આજે 20 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3989 પર પહોંચ્યો છે. આ સાથે જ છેલ્લા 7 દિવસથી સતત 1500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે અને અમદાવાદમાં નોંધાઇ રહેલા કોરોનાના કેસની સ્થિતિ પર હજી કાબૂ આવ્યો નથી.
રાજ્યમાં હાલમાં 14970 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14970 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 90.96 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 65,876 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,825,615 પર પહોંચ્યો છે.
96 દિવસ બાદ મોતનો આંકડો વધુ નોંધાયો
ગુજરાતમાં કોરોના બેફામ બન્યો છે ત્યારે આજે 96 દિવસ બાદ પ્રથમ વખત 20 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં છે. જેને લઇને મોતનો કુલ આંકડો 3989 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં હાલ 83 લોકો વેન્ટિલેટર પર છે.
અમદાવાદ જિલ્લામાં 312 કેસ આવતા ચિંતા વધી
આજે અમદાવાદ શહેરમાં 291, અમદાવાદ જિલ્લામાં 21, સુરત શહેરમાં 212, સુરત જિલ્લામાં 54, વડોદરા શહેરમાં 147, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 105, રાજકોટ જિલ્લામાં 35,ગાંધીનગર શહેરમાં 28, ગાંધીનગર જિલ્લામાં 31 તો ઉત્તર ગુજરાતના મહેસાણામાં નવા 70 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. તો આજે મહેસાણામાં એકસામટા 70 કેસ આવતા સમગ્ર પંથકમાં પણ ચિંતા વધી છે.
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા
તાજેતરમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનના વડા મોનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની ત્રીજી લહેરના ભણકારા સંભળાઇ રહ્યા છે. તો તેમણે એમ પણ જણાવ્યું હતું હતું કે, ગુજરાતમાં ફેબ્રુઆરી મહિના મહિના દરમિયાન કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ શકે છે.
પહેલી ઇનિંગ કરતા બીજી ઇનિંગ વધુ ગંભીર
AMAના વડા મોનાબેન દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી ઈનિંગ પહેલી ઇનિંગ કરતા જીવલેણ સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે, પ્રથમ ઇનિંગમાં 1.2% મૃત્યુઆંક હતો અને આગામી સમયમાં કોરોનાની બીજી લહેરમાં 4% મૃત્યુઆંક વધ્યો છે. ત્યારે હવે આગામી સમય ગાળામાં પણ આ આંકડો ચિંતાજનક રીતે વધી શકે છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત