હિમાચલપ્રદેશમાં સદીનો સૌથી મોટો ભૂકંપ આવી શકે છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 8 કે તેનાથી વધુ હોઈ શકે છે. આ સાથે જ હિમાલયની આસપાસના દેશોમાં ભારે નુકસાન થવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
હિમાલયમાં ખતરનાક ભૂકંપનું સંકટ
સદીનો સૌથી ખતરનાક ભૂકંપ આવી શકે
વૈજ્ઞાનિકોએ કર્યો દાવો
દિલ્લીમાં પણ ભૂકંપથી ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આગામી 100 વર્ષમાં વિનાશકારી ભૂકંપ આવવાનો વૈજ્ઞાનિકોનો દાવો જણાવવામાં આવ્યું છે. 20મી સદીમાં અલાસ્કાની ખાડીમાં આવેલા ભૂકંપ જેટલો ખતરનાક હોઈ શકે છે આ ભૂકંપ. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 મહિનામાં ઉત્તર ભારતમાં અનેકવાર ભૂકંપ આવી ચૂક્યા છે.
આ વિસ્તારોમાં આવી શકે છે ભૂંકપના ઝટકા
વૈજ્ઞાનિકોના અનુસાર પૂર્વી ભારતના અરુણાચલ પ્રદેશથી લઈને પશ્ચિમમાં પાકિસ્તાન સુધી ફેલાયેલા હિમાલય પર્વતની માળાઓ એક વાર ફરી વારાફરતી ભૂકંપનો ગઢ બની શકે છે. આ પહેલાં પણ આ ક્ષેત્ર ભૂકંપનો ગઢ રહ્યું છે. શોધના આધારે હિમાલયમાં આવનારા 20મી સદીમાં અલાસ્કાની ખાડીથી લઈને પૂર્વી રૂસના કમચટકામાં આવેલા ભૂકંપ જેવા ખતરનાક હશે. યુનિવર્સિટી ઓફ નેવાદાના શોધમાં આ ઓગસ્ટ અંકમાં પ્રકાશિત કરાયું હતું.
શોધમાં થયો હતો આવો દાવો
કોલકત્તા સ્થિત ભારતીય વિજ્ઞાન શિક્ષા અને અનુસંધાન સંસ્થામાં પૃથ્વી વિજ્ઞાન વિભાગના પ્રોફેસર સુપ્રિયા મિત્રાએ આ શોધ સાચી માની છે. તેમના આધારે ભીષમ ભૂકંપ ક્યારે આવશે તેનું અનુમાન મુશ્કેલ છે. પરંતુ તેઓએ કહ્યું કે શોધમાં દાવો કરાયો છે કે એક ખતરનાક ભૂકંપ આવી શકે છે.