હિમાચલપ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદના કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટના સામે આવી છે.
પહાડો કેમ પડી રહ્યા છે?
પત્તાની મહેલની જેમ પહાડ ધરાશાયી
હિમાચલથી બંગાળ સુધી ભુઃસ્ખલન
નદી બાદ પહાડો પર તોફાન
ભારતમાં ઘણી જગ્યાએ લેન્ડસ્લાઈડની ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં જમીન ધસવાનો બનાવો બનતા ભારે ખાનાખરાબી પણ સર્જાઈ રહી છે. એકબાજુ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ બાજુ વરસાદી કહેર વ્યાપેલો જોવા મળે છે. આવામાં હિમાચલપ્રદેશ અને અન્ય કેટલીક જગ્યાએ જમીન ધસવાથી ભારે નુકસાન સર્જાયું હતું.
હિમાચલ પ્રદેશમાં આખો પહાડ ખસી ગયો
હિમાચલપ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદના કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટના સામે આવી છે ત્યારે ફરી એકવાર હિમાચલપ્રદેશના સિરમોર નજીક ભૂસ્ખલન થયું હતું. કાટમાળ રોડ પર ધસી આવતા માર્ગ બંધ થયો હતો. તો જે સમયે ભૂસ્ખલન થયું તે સમયે લોકો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા હતા. લેન્ડસ્લાઈડના કારણે કલાકો સુધી હાઈ-વે બંધ થઈ ગયો હતો.
વાયરલ થયો વીડિયો
વીડિયોમાં તમે જોઈ શકો છો કે આખો પહાડ ધીમે ધીમે ધસી રહ્યો છે. લોકોના અવાજ આવી રહ્યા છે...જીવ બચાવવા લોકો ભાગી રહ્યા છે. પહાડ એવો ધસમસતો પડે છે કે સૌ કોઈ જોતાં રહી જાય છે. ધડાધડ જમીન ખસકી રહી છે અને માટી અને પથ્થરો પત્તાના મહેલની માફક નીચે ધસી રહ્યા છે. હિમાચલ પ્રદેશના સિરમોરના આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયાં છે.
બંગાળમાં ભૂસ્ખલનની ઘટનાઓ
પશ્ચિમ બંગાળના કલિમપોંગમાં પણ ભૂસ્ખલનના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂસ્ખલનની ઘટનાના કારણે રાષ્ટ્રીય હાઈવે-10 બંધ થયો છે. હાલમાં તંત્ર દ્વારા JCBની મદદથી કામગીરી કરવામાં આવી છે. અધિકારીઓએ ટૂંક જ સમયમાં રસ્તો ફરી શરૂ કરવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે, ગઈકાલથી કલિમપોંગમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો.. ભારે વરસાદ બાદ ગત મોડી રાત્રે ભૂસ્ખલનની ઘટના બની હતી. આ ઘટનાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
તો સિક્કિમમાં પણ રાત આખી વરસાદને કારણે ભુઃસ્ખલની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે વ્યક્તિના મોત થયા છે અને પાંચ લોકો ગુમ થયા છે. જેની શોધખોળ ચાલું છે, ટનલના કામકાજ દરમિયાન અચાનક જ લેન્ડસ્લાઈડ થતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાય ગયો હતો. જોકે, આ પછી રેસસ્ક્યૂ કાર્યને કારણે લોકોના જીવ બચાવી શકાયા હતાં.
વરસાદી સિઝનમાં પહાડી વિસ્તારોમાં જતાં પહેલા વિચારવું
આમ, ભારતમાં ઘણી જગ્યાએ લેન્ડસ્લાઈડની ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં જમીન ધસવાનો બનાવો બનતા ભારે ખાનાખરાબી પણ સર્જાઈ રહી છે. એકબાજુ કોરોનાનો કહેર છે, તો બીજી બાજુ બાજુ વરસાદી કહેર વ્યાપેલો છે. જમીન ધસવાના બનાવોથી લોકોમાં ભારે ગભરાટ પણ જોવા મળી રહ્યો છે.