હિમાચલ પ્રદેશમાં ગુમ થયેલા પ્રવાસીઓ, કુલીઓ અને ગાઈડ સહિત 17 ટ્રેકર્સના ગ્રુપમાંથી 11 લોકોના મોત થયા છે.
હિમાચલ પ્રદેશમાં 17 ટ્રેકર્સ ગુમ થયેલામાંથી 11 લોકોના મોત થયા છે
17થી 19 ઓક્ટોબરની વચ્ચે લમખાગા પાસની આસપાસ ગુમ થયા આ ટ્રેકર્સ હતા
એએલએચે એક વ્યક્તિને બચાવ્યો અને 7 મૃતદેહો 16500 ફીટ પર મળ્યા
હિમાચલ પ્રદેશમાં 17 ટ્રેકર્સ ગુમ થયા હતા
17 ટ્રેકર્સના ગુમ થયાના સમાચાર મળ્યા બાદ વાયુ સેનાના લખમખાગા પાસ પર મોટા પાયા પર બચાવ અભિયાન શરુ કર્યુ અને અત્યાર સુધીમાં 11 લાશ મળી છે. ભારે વરસાદ અને ખરાબ મોસમની વચ્ચે આ ગ્રુપ 18 ઓક્ટોબરે ગુમ થયું હતુ. ટેકર્સના ગુમ થયાના જાણકારી બાદ ભારતીય સેનાએ 20 ઓક્ટોબરે બચાવ કાર્ય શરુ કર્યુ હતુ. જણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રેકર્સ 14 ઓક્ટોબરે ઉત્તરાખંડના ઉત્તરાકાશીની નજીક હર્ષિલથી હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ચિતકુલ માટે નિકળ્યા હતા. પરંતુ 17થી 19 ઓક્ટોબરની વચ્ચે લમખાગા પાસની આસપાસ ગુમ થયા હતા.
એએલએચે એક વ્યક્તિને બચાવ્યો અને 7 મૃતદેહો મળ્યા
ગુમ ટ્રેકર્સને શોધવા માટે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યૂ ફોર્સના 3 કર્મીઓને લગાવવામાં આવ્યા છે અને હળવા હેલિકોપ્ટર( એએલએચ)ના માધ્યમથી ઉંચા પહાડો પર રેસ્ક્યૂ ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી મળતી જાણકારી મુજબ 21 ઓક્ટોબરે એસડીઆરએફના સભ્યોએ 4 મૃતદેહો શોધ્યા છે. આ દરમિયાન 22 ઓક્ટોબરે એએલએચે એક વ્યક્તિને બચાવ્યો અને 16500 ફીટની ઉંચાઈ પર 7 મૃતદેહો મળ્યા છે. ચાર લોકો વિશે હજું પણ કોઈ જાણકારી નથી. અધિકારીઓએ લાશને સ્થાનીક પોલીસને સોંપી દીધી અને બચેલા લોકોને હરસિલમાં પ્રાથમિક ઉપચાર બાદ ઉત્તરકાશી જિલ્લા હોસ્પિટલ, ઉત્તરકાશીમાં દાખલ કરાવ્યા હતા.
ક્યાંથી હતા આ તમામ લોકો
પશ્ચિમ બંગાળ અને અન્ય સ્થાનોના 8 પર્યટકોનું દળ મોરી સાંકરીની એક ટ્રેકિંગ એજન્સીના માધ્યમથી 11 ઓક્ટોબરે હર્ષિલથી રવાના થયું હતુ. આ દળે ઓફિસીયલી વન વિભાગ ઉત્તરકાશીથી 13થી 21 ઓક્ટોબર સુધી લમખાગાની પાસ સુધી ટ્રેકિંગ કરવા માટે ઈનર લાઈન પરમિટ પણ લીધી હતી. 17થી 19 ઓક્ટોબર સુધી હવામાન વિભાગના ખરાબ થવાના કારણે આ ગ્રુપ ભટકી ગયુ હતુ. ટ્રેકિંગ દળથી કોઈ સંપર્ક ન થવા પર સુમિત હિમાલયન ટ્રેકિંગ ટુર એજન્સીએ ઉત્તરાખંડ સરકાર અને હિમાચલ પ્રદેશ સરકારને પર્યટકોને સુરક્ષિત કાઢવાની સૂચના આપી છે. કિન્નોર જિલ્લા પ્રશાસનને બુધવારે આ દળના ગુમ થવાની સૂચના મળી હતી.
આ લોકો હતા ગ્રુપમાં સામેલ
ટીમના સભ્યોની ઓળખ દિલ્હીની અનીતા રાવત (38), પશ્ચિમ બંગાળના મિથુન દારી(31), તન્મય તિવારી (30), વિકાસ મકલ (33), સૌરભ ઘોષ(34) સાવિયન દાસ (28), રિચર્ડ મંડળ (30), સુકેન માંઝી(43) તરીકે થઈ છે. રસોઈયા દેવેન્દ્ર (37), જ્ઞાન ચંદ્ર (33) અને ઉપેન્દ્ર (32)ના રુપમાં થઈ છે. જે ઉત્તરકાશીના પુરોલાના રહેવાસી છે.