હિમાચલ પ્રદેશ 100 દિવસ બાદ ફરી એકવાર પર્યટકો માટે ખૂલી ચૂક્યું છે. રાજ્ય સરકારે દેવભૂમિ આવનારા માટે બોર્ડર ખોલી છે. આ માટે ખાસ ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે પર્યટકોએ 5 દિવસનું બુકિંગ અનિવાર્ય રીતે કરાવવાનું રહેશે અને 72 કલાક પહેલાંનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે લાવવાનો રહેશે.
100 દિવસ બાદ ખૂલ્યું હિમાચલ
પર્યટકોએ ગાઈડલાઈનનું કરવાનું રહેશે ખાસ પાલન
72 કલાક પહેલાંનો કોરોના રિપોર્ટ ફરજિયાત
રાજ્ય સરકારના આ નિર્ણયથી પર્યટન કારોબારીઓને રાહત મળી છે. અનલૉક 2ની વચ્ચે હોટલ કારોબારીઓએ સરકારને આ વિશે ગાઈડલાઈન જાહેર કરવાની માંગ કરી હતી. કેટલીક ખાસ શરતો સાથે જ ટૂરિસ્ટ ફરવા આવી શકશે. તેમાં 5 દિવસનું બુકિંગ અને 72 કલાક પહેલાંનો રિપોર્ટ લાવવો જરૂરી રહેશે.
માન્યતા પ્રાપ્ત લેબનો રિપોર્ટ જરૂરી
સરકારના આદેશ અનુસાર જે પણ પર્યટક ફરવા આવશે તેની પાસે 72 કલાક પહેલાંનો રિપોર્ટ હોવો જરૂરી છે. આ ટેસ્ટ રિપોર્ટ ICMRથી માન્યતા પ્રાપ્ત લેબોરેટરીનો હોવો જરૂરી છે. તપાસ બાજ પર્યટકોને ક્વૉરન્ટાઈન થવાની જરૂર રહેશે નહીં. હિમાચલ આવનારા પર્યટકોએ ઈ-કોવિડ પાસમાં તેમનો રિપોર્ટ રજિસ્ટર્ડ કરાવવાનો રહેશે.
COVID-19 मामले हिमाचल प्रदेश में 1,021 तक पहंचे जिसमें से 344 मामले सक्रिय हैं: राज्य स्वास्थ्य विभाग pic.twitter.com/nPWp0wPWAr
હિમાચલમાં પર્યટકોને માટે હોટલ ખોલવાને લઈને હજુ પણ હોટલ માલિકો સહમત નથી. કેટલાક ઈચ્છે છે કે અન્ય રાજ્યમાં પર્યટન સ્થળો ખૂલ્યા છે તો અહીં પણ ખૂલે. તેને માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. તો કેટલાક નથી ઈચ્છતા કે હાલમાં આ સ્થળોને ખોલવામાં આવે. બોર્ડર બંધ રાખવાથી કોરોનાથી સેફ રહી શકાય છે. જો તેને ખોલવામાં આવશે તો કેસ વધશે અને નુકસાન પણ વધારે થશે.