હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં વાદળ ફાટવા અને ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થવાથી 144 પ્રવાસી ફસાયા છે. પ્રશાસને જણાવ્યું કે 204 લોકો ફસાયા હતા. જેમાંથી પોલીસ અને ફાયર વિભાગે તેમને રેસ્ક્યૂ કર્યા છે.
ત્યારે ખરાબ હવામાન બાદ વાયુસેનાએ ગુરુવારે જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનાથી અસરગ્રસ્ત કિશ્તવાડ જિલ્લામાં રેસ્ક્યૂ અને રાહત સામગ્રી સાથે હેલીકોપ્ટરોના 8 ચક્કર લગાવ્યા અને ગુમ 20 લોકોને શોધવાનું અભિયાન હાથ ધર્યુ હતુ. IMDએ આવનારા 24 કલાકમાં મધ્ય પ્રદેશના 15 જિલ્લામાં ભારે વરસાદ થવા અને આકાશી વીજળી પડવાની આશંકા કરતા ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે.
બંગાળમાં વરસાદથી જનજીવન અસરગ્રસ્ત
દિલ્હી એનસીઆરના વિભિન્ના ભાગોમાં ગુરુવારે ભારે વરસાદ થયો.જેનાથી તાપમાનમાં ભારે ઘટાડો આવ્યો છે. ભારતના હવામાન વિજ્ઞાન વિભાગે આ જાણકારી આપી છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે. વાહનવ્યવહાર બંધ થયો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ બંગાળમાં વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું છે. તેમજ હજું ભારે વરસાદનું અનુમાન છે.