દેશના અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં મૂશળધાર વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ બનતી દેખાઈ રહી છે.
વાદળ ફાટવાથી કેટલાંક ગામોમાં નુકસાન પહોંચ્યું છે
આકાશી વીજળીને કારણે લગભગ 75 જેટલા લોકોના મોત
PM મોદીએ કરી જાહેરાત
હિમાચલમાં આભ ફાટવાની ઘટનાથી સર્જાયેલી હોનારતને કારણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યના CM જયરામ ઠાકુરને ફોન કર્યો હતો. આ જાણકારી તેમણે પોતાના ટ્વિટર દ્વારા આપી હતી, સાથે જ તેમણે રાહત પ્રક્રિયા માટે NDRFની ટીમ જલ્દીથી આવી રહી છે તેવી માહિતી પણ આપી હતી. વધુમાં તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે ગૃહ મંત્રાલય સતત ત્યાંની સ્થિતિનું મૉનિટરીંગ કરી રહ્યું છે. સાથે જ તેમણે લખ્યું કે કેન્દ્ર તરફથી પૂરતી મદદ આપવમાં આવશે.
हिमाचल प्रदेश में तेज बारिश से आयी प्राकृतिक आपदा के संबंध में मैंने मुख्यमंत्री श्री @jairamthakurbjp जी से बात की है। राहत कार्यों के लिए NDRF की टीमें शीघ्र वहाँ पहुँच रही हैं। गृह मंत्रालय स्थिति को निरंतर मॉनिटर कर रहा है। केंद्र की ओर से हिमाचल को हर संभव मदद दी जाएगी।
દેશના અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં મૂશળધાર વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ બનતી દેખાઈ રહી છે. હિમાચલ પ્રેદશના કાંગડા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાને કારણે ભારે તબાહીના દ્રશ્યો જોવા મળ્યાં. અહીં ભાગસુનાગથી સામે આવેલા દ્રશ્યો હચમચાવી નાંખનારા છે જેમાં જોરદાર પાણીના પ્રવાહમાં ગાડીઓ પણ રમકડાની જેમ તણાતી જોવા મળી હતી.
વાદળ ફાટવાથી કેટલાંક ગામોમાં નુકસાન પહોંચ્યું છે
હકીકતમાં વાદળ ફાટ્યા બાદ જ્યાં પાણીનો પ્રવાહ તેજ બન્યો ત્યારે બીજી બાજુથી તેની બાજુમાં જ વહેતા નાળામાંથી પણ પાણી સ્તરની ઉપર વહેવા લાગ્યું. ત્યાર બાદ તેની બાજુમાં પાર્ક કરેલી ગાડીઓ પાણીમાં રમકડાની જેમ તણાઈ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લાં થોડા દિવસોમાં ઘણાં રાજ્યોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ થયો. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં પણ વાદળ ફાટવાથી કેટલાંક ગામોમાં નુકસાન પહોંચ્યું છે.
#WATCH Around 10 shops damaged as Manjhi River rages following heavy rainfall in Himachal Pradesh's Dharamshala pic.twitter.com/m98H2O6Ank
આકાશી વીજળીને કારણે લગભગ 75 જેટલા લોકોના મોત
પહાડી રાજ્યોમાંથી નીચે આવીએ તો ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ આકાશી વીજળીને કારણે લગભગ 75 જેટલા લોકોના મોત થયા છે. દેશમાં વરસાદની સિઝન ચાલી રહી છે, જોકે વરસાદ ભારતના કેટલાય પરિવારો પર દુ:ખનો પહાડ બનીને તૂટયો છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આકાશી આફત લોકોના જીવ લઈ રહી છે અને અત્યાર સુધીમાં 75 લોકોના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે.
PM મોદીએ કરી જાહેરાત
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આકાશીય વીજળી પડવાના કારણે 75 લોકોના મોત થયા છે. પીએમ મોદીએ આ ઘટના પર સંવેદના વ્યક્ત કરી છે તથા સાથે સાથે વળતર આપવાનું એલાન કર્યું છે. પ્રાધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી છે. PMNRFમાંથી મૃતકોના પરિજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યું છે.